SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૬] આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આ પછી આ વિષયની ચર્ચામાં આજદિન સુધી પિતે રાખેલી તટસ્થતા વ્યક્ત કરતાં તેઓએ જણુવ્યું : (૨) “સંવત્સરી કે તિથિ બાબતની કોઈ પણ જાતની ચર્ચામાં અને અત્યાર સુધી ઊતર્યા નથી, તેમ જ ચર્ચામાં ઊતરવાની અમારી ભાવના પણ નથી. ડહેલાના ઉપશ્રયની આજ સુધીની (સં. ૨૦૧૨ સુધીની) ચાલી આવતી તિથિની અવિચ્છિન્ન પરંપરા પ્રમાણે જ અમે કરતા આવ્યા છીએ. તિથિપ્રરૂપણની પ્રાચીન મર્યાદા ડહેલાના ઉપાશ્રયની હેવાથી તે રીતે જ ચતુર્વિધ સંઘ કરતે આવ્યા છે. ડહેલાના ઉપાશ્રય પણ તે રીતે તિથિની આરાધના થતી આવી છે. વિ. સ. ૧૯૫૨માં, ૧૯૧માં, ૧૯૮૯માં અને ૨૦૦૪માં ડહેલાના ઉપાશ્રયે આ જ રીતે આરાધના થઈ હતી. ચાલુ વર્ષમાં ડહેલાના ઉપાશ્રયે કદાચ જુદી રીતે (બુધવારની) સંવત્સરીની આરાધના થાય, અને તે રીતે લુહારની પળના ઉપાશ્રય વગેરે સ્થળે પણ પરંપરાથી ચાલી આવતી આરાધના ફેરવાય, પણ ૨૦૧૨ સુધીમાં તે ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા–એટલે કે શ્રી ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી ચાલી આવતી પ્રણાલિકા–તે, સંવત્સરી બાબતમાં જે રીતે અમોએ નિર્ણય રાખે છે તે રીતે જ છે. અને ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે જ અમે એ નિર્ણય રાખ્યા છે, તેમાં કોઈ પણ જાતને નવા વિચાર અમોએ કર્યો નથી. આજ સુધીની (સં. ૨૦૧૨ સુધીની) ડહેલાના ઉપાશ્રયની તિથિની પરંપરાનો જે ધોરી માર્ગ છે, તે માગથી અમો જુદા પણ પડયા નથી.” આની સાથે જ ૧૫રથી માંડીને ૨૦૧૩ સુધીની આચરેલી પ્રણાલિકાનું વર્ષવાર દર્શન એમણે કરાવ્યું: ૧૫રમાં તો સકળ તપાગચ્છ સંઘે આ રીતે જ આરાધના કરી હતી-એક સાગરજી મહારાજ સિવાય. ૧૯૬૧માં પણ તે જ પ્રસંગ આવ્યો હતો અને ૧લ્પર પ્રમાણે આરાધના થઈ હતી. વિશેષમાં, તે વખતે સાગરજી મહારાજે પણ, કપડવંજ સંઘની એક્તા માટે, સંઘને અન્ય (છઠ્ઠના ક્ષયવાળું) પંચાંગ માન્ય રાખવા દીધું હતું. તેમ જ “મારી માન્યતા ત્રીજના ક્ષયની છે પણ તેમ કરતાં સંઘમાં એકતા ન સચવાય તેમ હોય તે હું તેનો આગ્રહ કરતો નથી. (જૈન પર્વતિથિને ઇતિહાસ ત્રિપુટી, પત્ર-૪૪)” એવું પણ સાગરજી મહારાજ તે વખતે બેલ્યા હતા. એટલે ૧૯૯૧માં પણ તપાગચ્છ સકળ સંઘે આ રીતે જ આરાધના કરી હતી. તે, આ વખતે પણ તેઓશ્રીના સમુદાયે, ૧૯૬૧માં કપડવંજની જેમ, અન્ય પંચાંગને માન્ય રાખી, છઠ્ઠને ક્ષય કરી તપાગચ્છ સકળ શ્રીસંઘની સાથે ચોથ ને ગુસ્વારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy