SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૪] આ. વિ.નદનસૂરિસ્મારકગ્રંથ સંધની એક્તા ખાતર વિ. સં. ૨૦૦૪ની જેમ વિ. સં. ૨૦૧૩માં પણ તપગચ્છમાં સંવત્સરી-ભેદ આવતો હતો. લૌકિક પંચાંગ (ચંડાશુ ચંડુ)માં ભાદરવા શુદિ પાંચમનો ક્ષય હતે. એટલે આપણે ત્યાં આરાધનામાં, ૨૦૦૪ની જેમ, ત્રણ મત પ્રવર્તે એવી સ્થિતિ હતી. એમાં નવો તિથિમત તે પાંચમને ક્ષય માનીને ચોથ ને ગુરુવારે સંવત્સરી કરનાર હતો. અને એકતિથિપક્ષમાં પણ સૂરિસમ્રાટને સમુદાય અને અન્ય કેટલાક સમુદાય પણ પાંચમના ક્ષયે, અન્ય પંચાંગના આધારે, છને ક્ષય સ્વીકારીને ચોથ ને ગુરુવારે જ, સંવત્સરી કરવાના હતા, જ્યારે, આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરે સમુદાએ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરીને ચોથ ને બુધવારે સંવત્સરી કરવાનું નક્કી કર્યું હતું. અમદાવાદના ડેલાના ઉપાશ્રયન સાધુ-સમુદાય પણ આ વખતે એ માન્યતામાં ભળ્યો હતો. અને અમદાવાદની લવારની પોળના ઉપાશ્રયને મુનિ-સમુદાય પણ, પાંચમના ક્ષયે ચોથનો ક્ષય માનીને, સંવત્સરી બુધવારની કરનાર હતો. - આમ, વિ. સં. ૨૦૧૩ની સાલમાં સંવત્સરી મહાપર્વની આરાધના અગે, વિભિન્ન મત પ્રવર્તતા હતા. અને સૌ પોતપોતાની માન્યતામાં મક્કમ હતા. અને પોતાની માન્યતા બીજાને મનાવવા સતર્ક હતા. . આમાં, કેટલાક એકતા અને સમાધાન માટેની પ્રવૃત્તિ પણ કરતા હતા. એમાં બે પ્રકારની વ્યક્તિઓ હતી. કેટલીક વ્યક્તિઓ નવા તિથિમતના સંદેશવાહક તરીકે કામ કરતી હતી. નવા તિથિમત તરફથી એમને માત્ર સમાધાન ને એકતાની વાતો જ ચલાવવાની રહેતી. એવી વાતે ચલાવીને તેઓ એવું દેખાડવા મથતા કે “અમારા પક્ષને સમાધાનની ઉત્કટ આતુરતા હોવા છતાં એકતિથિવાળાઓને સમાધાન ખપતું નથી.” પણ એમની આ વાતોની અસર વાત પૂરતી જ રહી શકતી. બીજો વર્ગ એવો હતો, જેને સાચેસાચ સુલેહ ને સમાધાનની ઘણી આતુરતા હતી. એ લોકો તપાગચ્છના બંને પક્ષમાં ઐક્ય સધાય એ માટે ભરપૂર મહેનત કરી રહ્યા હતા. અને એમાં સફળ ન થવાય, તે પણ એકતિથિપક્ષમાં આ વર્ષની સંવત્સરી અંગે જે મતભેદ દેખાતા હતા, તે નિવારીને એ બધા એક જ તારીખે સંવત્સરી આરાધે, એ માટેના પ્રયાસો વિશેષપણે ચાલુ રાખ્યા હતા. આ વર્ષે, આવા જ સપ્રયત્નોના એક મહત્ત્વના ભાગરૂપે મુંબઈ-ગોડીજી-શ્રી દેવસૂર તપાગચ્છ સંઘના આગેવાનો એકતિથિપક્ષના જુદા જુદા આચાર્યો પાસે એકવાક્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy