SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૪] આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આટલું છતાં–મુહૂર્તજ્ઞાનના કારણે ભારત આખામાં ખ્યાતિ મેળવવા છતાં—અભિમાનનો અંશ પણ એમને પૂછ્યું હોય એવું જાણ્યું નથી. લોકે આવીને મુહૂર્તની ઉત્તમતાને પ્રશસે, ત્યારે પૂરી નિખાલસતાથી કહેઃ “શાસનસમ્રાટ ગુરુભગવંતના આશીર્વાદને જ પ્રતાપ છે; હું તો પામર, અજ્ઞાન છું.” મુહૂર્ત લઈ જનારને પણ એક જ આશીર્વાદ નિખાલસભાવે મળેઃ “શાસનસમ્રાટની કૃપાથી તમારું મંગળકાર્ય નિર્વિદને સફળ હો !” કેવી નિખાલતા અને કેવી નમ્રતા ! २८ તિથિચર્ચા (૩) વિ. સં. ૨૦૦૪ સંવત ૨૦૦૪માં સંવત્સરીમાં ભેદ આવ્યું. લૌકિક પંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય હતો, એટલે બે સંવત્સરીની આરાધના તપાગચ્છમાં ત્રણ રીતે થઈ. બેતિથિવાળાના નામે સુખ્યાત નવા પક્ષે પાંચમને ક્ષય કાયમ રાખીને એથ-પાંચમ ભેગા ગણ મંગળવારે સંવત્સરી આરાધી. - શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ વગેરેએ પાંચમના ક્ષયે ચોથે અથવા ત્રીજને ક્ષય કરીને ચોથ ને સોમવારે સંવત્સરી આરાધી. સૂરિસમ્રાટે અને બીજાઓએ, સં. ૧લ્પર, ૧૯૯૧ ને ૧૯૮લ્માં તપાગચ્છના માન્ય વૃદ્ધ મહાપુરુષોએ અને શ્રી સકલ સંઘે શ્રી વિજયદેવસૂર તપાગચ્છસંઘની સેંકડો વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રાનુસારી અવિચ્છિન્ન પ્રણાલિકા અનુસાર જે રીતે પાંચમના ક્ષયે અન્ય પંચાંગના આધારે છઠનો ક્ષય કરીને શુદ ચોથે સંવત્સરી કરેલી, તે જ રીતે આ વર્ષે (૨૦૦૪માં) પણ અન્ય પંચાંગના આધારે ભાદરવા સુદ છઠને ક્ષય સ્વીકારીને શુદ ચોથ ને મંગળવારે સંવત્સરી જાહેર કરી અને આરાધી. સૂરિસમ્રાટ સ્વયં તે વૃદ્ધાવસ્થા ને અશક્તિના કારણે આમાં વિશેષ રસ નહેતા લઈ શક્તા, પણ એમની સૂચના ને માર્ગદર્શન અનુસાર શ્રી વિજયનંદનસૂરિજી એમાં પૂરતો રસ લેતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy