SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૭૧] આ ત્રણ રીતની સંવત્સરીની આરાધનામાં બન્યું એવું કે બેતિથિવાળા ને સૂરિસમ્રાટ વગેરેની સંવત્સરી મંગળવારે સાથે થતી હતી, જ્યારે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ વગેરેની સમવારે થતી હતી. આની ચર્ચા ને તોફાને ખૂબ ચાલ્યાં. કઈ રીતે સૂરિસમ્રાટ વગેરે સેમવારમાં આવે, એ માટે અથાગ પ્રયાસ થયા. પત્ર-પત્રિકાઓના થેકડા બહાર પડવા લાગ્યા. ગાળાગાળીની પણ સીમા ન રહી. પણ સુરિસમ્રાટને આરાધનામાં રસ હત–સાચી પ્રણાલિકા મુજબની આરાધનામાં; એમને આ ખટપટ, ચર્ચા કે કલેશમાં જરાય રસ ન હતું. એમના તરફથી સ્પષ્ટ જાહેર થયું કે “અમે તે આપણું શુદ્ધ પ્રણાલિકાનુસાર છઠના ક્ષયે પાંચમ અખંડ રાખીને ચોથે સંવત્સરી કરવાના છીએ. બેતિથિવાળા સાથે અમારે કોઈ નિસબત નથી. અમારે તો પ્રામાણિક પ્રણાલિકા ને આરાધના સાથે જ સંબંધ છે.” એમની આ જાહેરાતથી વિરેાધીઓના વિરોધમાં ભારે ઉછાળો આવ્યા. તા. ૧૧-૮–૪૮ ના “મુંબઈ સમાચાર'માં સૂરિસમ્રાટને ઈર્ષ્યાળુ, વ્યક્તિષી, મૂષકનીતિવાળા, કુબુદ્ધિ વાપરનારા, અશાન્તિ ફેલાવનારા વગેરે સ્વરૂપે ચીતરવામાં આવ્યા. ૧૬-૮-૪૮ના મુંબઈ સમાચારમાં એમની ગણતરી મિત્રદ્રોહીમાં કરાઈ. અને કલેશ-કલહથી અલિપ્ત રહીને રચનાત્મક શાસનપ્રભાવના કરવાની તેમની તટસ્થ વૃત્તિને લીધે તેમને નિર્મળ અને નવા પક્ષ તરફ ઢળતા ક૫વામાં આવ્યા. આ બધાં લખાણથી અસ્વસ્થ ન થતાં સ્વસ્થ ને મૌન રહેવાની વિનતિ કરતા અનેક સમજુ-વિચારક આત્માઓના પત્રો સૂરિસમ્રાટ પર અને એમના શિષ્ય પર આવ્યા. એવા એક પત્રમાં શ્રી વિજયનંદનસૂરિજી ઉપર ભાવનગરથી શ્રી વિજયલલિતસૂરિજીએ લખ્યું હતું કે– “વિ. શ્રી હંસસાગરજીનાં હેન્ડબીલો–લેખ અનેક વાર વાંરયાં. તે વખતે મનમાં એવી વિચારણા આવી કે શ્રી નંદસૂરિજી ગુરુભક્ત છે, તે એમનાથી આ લેખે, આ લખાણો સહન નહિ જ થાય. છતાં સમતા કરીને બેઠા છે, તે એમની વિદ્યાને અને સંયમથુતિને જ આભારી છે. પણ આજે મુંબઈ સમાચારને એક લેખ જે સેનગઢથી લખાય છે, તે શેઠ જુઠાભાઈ સાકરચંદ લેતા આવ્યા અને વ્યાખ્યાનમાંથી ઊઠયા બાદ અનેક ધર્મપ્રેમી મનુષ્યોએ વાં. વાંચવાવાળા અને સાંભળવાવાળા-બંનેના મનમાં અત્યંત ગ્લાનિ થઈ. હવે હું પણ લગભગ સિત્તેર વર્ષનો વૃદ્ધ, બાવન વર્ષનો દીક્ષિત સાધું છું, તે મારી હાર્દિક ભાવના એ જ છે કે “ મન્નિાવર રઢિત વાવત'એવી ધીરતા રાખી જેવી રીતે આજ સુધી ઉપેક્ષણીય લેકની ઉપેક્ષા કરતા આવ્યા છે એવી જ ગંભીર વૃત્તિ રાખશે. જેની આપણે આજ સુધી ચેષ્ટા જોઈ મનમાં દયાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy