SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ Twe e dedostoobedastade doodoodse sto stesso de destosteste destedestesbeestesteeddestesbosbedestenbodestesteseseostestosteste cosesteste deste testoste સ્વપ્ન જોયેલું છે, તે અનુસાર મારું આયુષ્ય પૂર્ણ થવાનું છે, જેથી મને અનશન કરવાની ભાવના થઈ છે. નિર્મળ હદયે આરાધના કરવાપૂર્વક હવે આત્માનું કામ સાધવું જરૂરી છે.” ગુરુદેવના મુખથી ગુરુદેવનાં મૃત્યુ અને અનશનની વાત સાંભળી સૌને વજપાત જેવું દુઃખ લાગ્યું. આંખમાં આંસ લાવી સૌ એમ કહેવા લાગ્યા : “હે શાસનના નાયક મુનિ ! હે જગજુર ! આપ તે સાવધાન જ છે. જ્ઞાનના બળથી ગાજતા આ૫ દેશ-દેશાવરમાં વિચરી મોક્ષનો શુભ માગ દેખાડો છે. અનેક સ્થળાના શ્રાવકો ઉત્કંઠિત થઈ વિચારે છે કે, ધણું દિવસે ગચ્છનાયક ગુરુવરનાં દર્શન કરીશું. આપ આવા સમયે દેહ ન છોડો. આપના મૃત્યુના સમાચારથી પરિવાર પણ દુઃખ પામે છે” ત્યારે સૂરિજી કહે છે: “આ સમયે આરાધના જ કરવા યોગ્ય છે.' - રાસકાર કવિએ અહીં આરાધના અંગે સુંદર વર્ણન આપ્યું છે. જીવના ૫૬૩ ભેદનું વિગતવાર વણન આપવા સાથે તેઓએ ત્રિકાલમાં થયેલ વિરાધના અંગે ક્ષમાપના, ચાર શરણ, અઢાર પાપસ્થાનની ગહ વગેરેને પણ વિસ્તારથી કાવ્ય રૂપે વણી લીધેલ છે. શ્રી કલ્યાણસાગરસૂરિએ આ રીતે સર્વ જીવો સાથે ક્ષમાપના કરી, ચાર શરણ સ્વીકાર્યા. મસ્તક નમાવી સાચા હદયે શલ્યશુદ્ધિ કરી. અઢાર પાપસ્થાનકેની નિંદા કરી. મન, વચન અને આહાર તજ્યા. દેહ-વસ્તિ-ઉપાધિ અને પરિવારને વોસિરાવ્યા, શ્રી સંઘના મુખથી નવકાર ગણાવાપૂર્વક અણુસણને સ્વીકાર કર્યો. “મારે કઈ નથી, હું કોઈને નથી. એક ધર્મ જ સાચે મિત્ર છે.” ચાર શરણ સ્વીકારીને બાર ભાવના ભાવતાં શ્રી કલ્યાણસાગરસૂરિએ સૂતે સૂતે લોકાગ્રભાગ સિદ્ધશિલા પર ચિત્ત સ્થિર કર્યું. આ દશ્ય જોઈ ધીર એવા મુનિએ પણ કાયર થયા. એક ઘડી મટી વેળા જેવી ભાસવા લાગી. સૌ વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગ્યા. રાસકારે તે હદયદ્રાવક વર્ણન તથા શ્રી અમરસાગરસૂરિના વિલાપ તેમ જ મનની વ્યથાને અક્ષરદેહ આપી સુંદર રીતે પદ્યમાં ગૂંથી લીધેલ છે. અમરસાગરસૂરિ કહે છે: “હે મારા પૂજ્ય કલ્યાણ ગુરુ ! હે કરુણાનિધિ ! હે નાથ ! સ્નેહથી અમારી સામે તે જુઓ ! અમને કાં તરછોડે છે ? હે નાથ ! મારી અરજ તે સાંભળો ! આપ નિષ્ફર કેમ થાઓ છે ? આપ હસતે મુખડે અમને જોતા અને હાથમાં પાઠું લઈ અમને વાચના આપતા ને આજે નેહ કેમ નથી ધારણ કરતા ! હે ગગડેશ્વર ! હે સૂરીશ્વર ! મારી એક જીભડીથી આપના ગુણોનું વર્ણન કેમ કરી શકું? હે સંતવત્સલ ! હે મુનિપાલ ! તમારા અજબ દેદારથી આખું જગ મોહ્યું છે. લાંબા કાળ સુધી છત્રની જેમ અમારા ઉપર નાયક તરીકે રહા ! હા ગીશ્વર ! હા નિર્દભી ! મારી વિનંતિ સાંભળી મુખથી આપ બેલે તે સહી...... અંતે શ્રી કલ્યાણસાગરસૂરિ સ્વસ્થ ચિત્તે સમાધિમય બની શ્રી જિનભગવંતનું ધ્યાન ધરતા વિજય મુદતે સ્વર્ગવાસ પામ્યા. આ વાત સાંભળી મેર સૌ શકાતુર થયા. અંતિમ સંસ્કારક્રિયા કરવા રુદન/વિલાપ કરતા ભક્તો માંડવીની તયારી કરવા લાગ્યા. આ બાજુ ભક્તો સોના-ચાંદીની મુદ્રાઓથી કે ચંદન-કેસરના વિલેપનથી ગુરુનાં નવ અંગેની પૂજા કરવા લાગ્યા. દેવવિમાન જેવી મોટી અને ભવ્ય માંડવી (શિબિકા) GS આ શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથો NE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy