SearchBrowseAboutContactDonate
Page Preview
Page 886
Loading...
Download File
Download File
Page Text
________________ નનનનનts o twitter.comost entertworks e J૪૨૧ યુવાન થતાં એક સાથે આઠ કન્યાને પરણી ઘેર આવે છે. આગળથી જણાવેલા નિશ્ચય અનુસાર તેમને સાંજે પરણીને સવાર “સંયમત્રત લેવાનું હોય છે, એટલે આઠે પનીઓને સમજાવતા હોય છે, ત્યાં ઓચિંતે પ્રભવ નામને ચાર, પિતાની સાધારણ વિદ્યાથી સૌને ઊંધમાં નાખી વસ્ત્રાભૂષણે લઈ જવા માંડે છે. ત્યાં તે, જંબુસ્વામી પોતાની સાથસ્તંભન વિદ્યાથી પ્રભવને મહાત કરે છે. પાંચસો સાથીઓવાળા પ્રભવ આ રીતે પ્રભાવિત થઈ, અભય આપી, જંબુસ્વામીને પિતાની બે વિદ્યા 2 સ્તંભન વિદ્યાને સાટ કરવા કહે છે. આમ ૨૧ થી ૨૫ કડી સુધી જ બુસ્વામી અને પ્રભવે વચ્ચે સંવાદ ચાલે છે. પરંતુ જંબુસ્વામીએ પાંચસે સાથીઓવાળા પ્રભવ તથા રાણીઓને ઉત્તર–પ્રત્યુત્તર વડે માંડ માંડ સમજાવ્યાં, ત્યારે માબાપ કહેવા લાગ્યાં કે, અમે પણ સાધુઓની સાથે જ સંયમવ્રત લઈશું. બીજી ઠવણ એ રીતે પૂરી થાય છે. અહીં પ્રભવ સિવાયના બધાંને જ વૈરાગ્ય થાય છે, તેની પાછળ જંબુસ્વામીને છોડવા ન પડે અને ‘જ્યાં તું ત્યાં હું એવા સંકલ્પવાળા મેહ જ કારણ રૂપે હેય એવું લાગે છે, સાચે વૈરાગ્ય નથી લાગતું. ત્રીજી ઠવણી શરૂ થતાં, પ્રભવના દિલમાં ગત કુકર્મો પ્રત્યે થયેલા પશ્ચાતાપને ઉલેખ છે. રાજાની માફી માગવા પ્રભવ જાય છે, તે સમયે (લગભગ ૩૦ થી ૩૪ કડી સુધી) પ્રભવને કવિ ચીતરે છે, જેમાં પ્રભવની નૈતિક હિમ્મત (moral courage), પ્રભવને લેકેમાં ભય, પ્રભવના વ્યક્તિત્વનો રાજ ઉપર પડતા પ્રભાવ વગેરે કવિએ સુંદર રીતે નિરૂપ્યાં છે. પ્રભવના વૈરાગ્યનું કારણુ રાજ તેને પૂછે છે, ત્યારે “જબુસ્વામી જગતને આશ્ચર્ય થાય એ રીતે આઠે બાળાઓ અને રિદ્ધિસિદ્ધિને તરણાની જેમ તજી દીધાં' એવું જોઈને પિતાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયે, એવું પ્રભવ રાજને જણાવે છે. આમ ત્રીજી ઠવણી સમાપ્ત થતાં, ચોથી ઠવણીમાં જંબુસ્વામીનો રસાલે સંયમત્રત લેવા જાય છે, એટલી વિગતે છે. પાંચમી ઠવણીમાં બીજ લેકાએ પણ સંયમવ્રત લીધુ, એમ કવિ જણાવે છે. છેલે. પ્રભવને ગાદીએ બેસાડી, જંબુસ્વામી સિદ્ધ ગતિને પામ્યા. અંતમાં, કવિ પોતાના ગુરુ વિષે અને પોતાના નામ વિષે થોડી માહિતી તેમ જ ફલશ્રુતિ આપે છે. પ્રતને અંતે ઈતિ જ બુસામિ રાસ પુષ્પિકા ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, આ ચરિત્ર પણ એક સસ જ છે. આ કાવ્યમાં કથાનકનું વિભાજન “ઠવણીથી કરવામાં આવ્યું છે. ધીરાદાત્ત જબુસ્વામી અને પ્રભવનું ચરિત્ર આલેખાયેલું છે. આ આખું સંવાદાત્મક કાવ્ય હોવાથી, પ્રકૃતિવર્ણનને જરા પણ અવકાશ સ્વાભાવિક રીતે જ નથી મળ્યું, એ ખોટ ખમી શકાય તેવી છે. આ ગેય કાવ્ય પણ છે. ગેયતા જાળવવા ‘ઓ, હ, એ” વગેરે અક્ષરે ચરણને અંતે મૂકેલા છે. આમ આ કાવ્ય વિભાજિત બંધવાળું રસકાવ્ય જ છે, અને તેમાં જબુસ્વામી જેવા ધર્મ શ્રેષ્ટિના વૈરાગ્યનું ચરિત્ર મુખ્યત્વે આપેલું છે. આ આ કાવ્ય નાનું ૪૧ કડીનું બનેલું છે. ચરિત્ર વિષયક અને સંવાદાત્મક કાવ્ય હેવાથી, કાવ્યને દીપાવે તેવાં વર્ણને અને ખાસ ધ્યાન ખેંચે તેવા અલંકારે આમાં નથી. વૈરાગ્ય વર્ણવતું આ કાવ્ય પણ એ રીતે વૈરાગી છે. એટલે કે, બહુ ઊંચી જાતની કવિતા આમાંથી નથી મળતી. રૂઢિપ્રયોગ : બહુ સહુ કો એક મનિ રંક અનુ રાઓ (૪). બિન્દુ સમાણ વિસયસુખ આદર કિમ કિજઈ (૨૭). તૃણ જિમ દીઠઉ મેહતીઓ (૩૬). મા શ્રી આર્ય ક યાણામસ્મૃતિગ્રંથો એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy