SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ અજિતનાથ ભગવાનની પ્રતિમાજીનો ઉપયોગ થતો. એ અરસામાં ક. દ. ઓ. જ્ઞાતિના શ્રી મેઘજી ઉડીઆ પોતે ખાણમાંથી પથ્થર કાઢવાનું કામ કરતા હતા, છતાં પોતાને માથે કરજ લેવાથી જીવનથી કંટાળીને વાવમાં આત્મહત્યા કરવાના વિચારે ગયા. ત્યારે તેમને દેવવાણી સંભળાઈ: “ના, ના.” ચોતરફ નજર કરતાં કોઈ દેખાયું નહિ, એટલે તેઓ સમજ્યા કે કોઈ દેવ મને આત્મહત્યા કરવા બાબત ના પાડે છે. માટે મારે આજે આતમઘાત ન કરવો, એમ વિચારી તેઓ ઘેર જઈ સૂઈ ગયા. તે જ રીતે તેમને સ્વપ્ન આવ્યું. તેમાં તેમને સૂચવાયું : “આપઘાત કરીશ નહિ. હિમ્મત રાખજે. બધાં સારાં વાનાં થશે. સવારના ઊઠીને અમુક વેપારી પાસે જજે. તેની પાસેથી તને ૨૦૦ કોરી મળશે. ૧૦૦ કરી લેણદારને આપી દઈ તારું દેવું પતાવજે અને બાકીની સો કોરી લઈને ગોધરા ગામ જજે. તે ગામને ઉગમણે પાદરે તને હાલારના છીકારી ગામના દેવરાજ વણિક મળશે. તેમની સાથેના બળદ-પોઠિયા ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમાજી હશે. તે ૧૦૦ કોરી લઈને તેને આપશે. તે તું લઈ આવજે.” આ રીતે સ્વપ્નમાં મળેલી અધિષ્ઠાયક દેવની સૂચના સાંભળીને શેઠશ્રી મેઘજી ઉડીઆ આનંદભેર જાગ્યા. જાગીને ઈષ્ટદેવ પાર્શ્વનાથ પ્રભુનું સમરણ કરી સ્વપ્નમાં પિતાને થયેલા સૂચન પ્રમાણે થયેલી આજ્ઞાને અનુસરીને તેઓ ઉપરોકત પ્રતિમાજીને સુથરી મુકામે લઈ આવ્યા. છીકારી ગામમાં દેવરાજ વણિકને પણ એવા જ પ્રકારે સ્વપનમાં અધિષ્ઠાયક દેવે આજ્ઞા ફરમાવી હતી. ગોધરા ગામના ઉગમણું પાદરના દરવાજે એ બને મળ્યા. પરસ્પર સ્વપ્નોની વાત કરી. શ્રી દેવરાજે કરી લીધી અને શ્રી મેઘજીભાઈ ઉડીઆએ પરમ કલ્યાણકદ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા લીધી. તે પ્રતિમાને સુથરી ગામમાં લાવી પોતાને ઘેર રેટલા રાખવાના કોઠલામાં તેમણે બિરાજમાન કરી. ત્યાર પછી વારે અને તહેવારે, અને અનેક શુભ પ્રસંગે લેકો ગોરજીના શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાને પૂજનાર્થે બિરાજમાન કરતા, તે જ મુજબ હવે સ્થાનિક જેનો શ્રી મેઘજી ઉડીઆની લાવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કરવા લાગ્યા. પ્રતિમાજીના નામકરણ સંબંધે આવી એક અનુશ્રુતિ જણાય છે ? ગામના મોટા શેઠ મેઘણ શાહને સમગ્ર જ્ઞાતિને સમુદાય જમાડવાની એક વેળા ઇચ્છા થઈ. તેમણે કરેલ ઉજમણામાં ધાર્યા કરતાં વધારે માનવ સમુદાય એકત્ર થયો. તેથી મેઘણુશા શેઠે શ્રાવકની શૈલી પ્રમાણે ઘીના હવાડામાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાને - શ્રી આર્ય કયાણગૌણ સમૃતિગ્રંથ કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy