SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ હ h ootoshootos •••••••steelessnesses-doesdsdsofooooooooooooooooooooooooods[૨૨] स्थितं पुण्डरीकाचलस्यावतारेऽखिलक्ष्माधरश्रेणिशंगारहारे । तृतीयंजिनं कुंददंतं भदंतं स्तुवे पावके भूधरे संभवं तम् ।। – પર્વતોમાં સુંદર અને પુંડરીકાચલ એટલે શત્રુંજયના અવતાર જેવા પા કાચલ ઉપર રહેલા ત્રીજા તીર્થકર ભગવાન કુંદપુષ્પ જેવા દાંતવાળા, શ્રી સંભવનાથ પ્રભુની પડું સ્તુતિ કરું છું. એ પછીના લેકમાં ચાંપાનેર અને પાવાગઢ બને નામે સાથે આવે છે અને શ્રી સંભવનાથનું મંદિર પણ પર્વત પર હોય એવું સમજાય છેઃ चांपानेरपुरावतंसविशदे श्री पावकाद्रौ स्थितम् । सावं संभवनायकं त्रिभुवनालंकारहारोपमम् ॥ “ગુરુ ગુણરત્નાકર” નામના પુસ્તકમાં માંડવગઢના સંઘપતિ વલાને પણ શ્રી પાવાગઢના શ્રી સંભવનાથ જિનેશ્વરને વંદીને શાંતિ મેળવી હતી, એ ઉલ્લેખ મળે છે. ખંભાતના શેઠ એવા શાહે પંદરમી સદીમાં સંભવનાથના મંદિરમાં આઠ દેવકુલિકાઓ કરાવી સેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવેલી. . . . . પંદરમી અને સેળમી સદીના ઉલ્લેખે ? પંદરમી સદીના છેલ્લા પાદમાં સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેર જીતી લીધું, ત્યાં સુધી એ સ્થળ જૈન તીર્થ તરીકે ખૂબ જ સમૃદ્ધ હતું. જૈનાચાર્ય શ્રી સોમદેવસૂરિજીએ જયસિંહ પાવાપતિને ઉપદેશ કર્યો હતો, એમ ઉપદેશ તરંગિણી' નામના પુસ્તકમાં ઉલ્લેખ છે. પાટણના વીસા પિરવાડ સંઘવી બીમસિંહે સુંદર જિનમંદિર બનાવ્યું હતું અને વિ. સં. ૧૫ર૭ ના પોષ વદી પાંચમને દિવસે પ્રતિષ્ઠા કરાવી હતી. મારવાડમાં આવેલા નાડલાઈ નામના પ્રસિદ્ધ તીર્થમાં વિ. સં. ૧૫૭૧ ના લેખમાં કહે છે કે “શ્રી પ્રમોદચંદ્રગુરુપદેશાત્ ચંપકપુર્ય શ્રીસંઘેન કારિતા દેવકુલિકા ચિરંજીયાત્ ” એ જ લેખમાં પછીની લીટીઓમાં એ જ સંવતમાં “ચંપકદુર્ગ શ્રીસંઘ” અને “ચંપકનેર શ્રીસંઘ'નાં નામ આવે છે. વચ્ચે પત્તન (પાટણ) ના સંઘનું નામ અને પછી એક લીટીમાં “મહમદાવાદ સંઘન” એવું નામ છે, એટલે નાડલાઈ તીર્થમાં આ બધાં શહેરના સંઘોએ કંઈ કાર્ય કર્યું હોય એમ કહી શકાય અને એમાં ચાંપાનેરનાં નામ જુદી જુદી રીતે લખેલાં મળે છે. નાડોલના જૈન તીર્થના વિ. સં. ૧૫૦૮ ના લેખમાં “ચંપકમેરું” એવું નામ પણ આવે છે. આમાં વિ. સં. ૧૫૧૦ એટલે ઈ. સ. ૧૫૧૫ ને ઉલ્લેખ એવું સિદ્ધ કરે છે કે, મહમૂદ બેગડાએ ચાંપાનેર જીત્યા પછી પણ ત્યાં જેની સારી વસ્તી હતી. આ આશરે અધી સદી સુધી ચાંપાનેર ગુજરાતનું પાટનગર રહ્યું. એ અરસામાં કોઈ નવી પ્રતિષ્ઠા થઈ હોય એવા ઉલ્લેખે મળતા નથી. પરંતુ અમદાવાદની પેઠે ચાંપાનેરમાં મુસલમાન અને હિંદુ બને કેમને વાસ રહ્યો છે. એ અરધી સદીમાં ચાંપાનેરની સમૃદ્ધિ ખૂબ વધી છે. એટલે છે શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ DISE S : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy