SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ [੨] ਰ ਰ ਰ ਰਿਟਰਿਵਊ ਵਣ ਵਦ xਰਵਰਿ sਰ ਇਹ ਚ ਉਰਟ ਦ ਵ ਵ ਰ ਦ ਵ ਝੰਡs a sías so sਰ ਵtesਰ ਵਰ ਟੈਰਰ ਨੂੰ ਘਰ ਵਰ ਵੀਰ ਵਰ - ਵਰਖso sਰਿਰਿ ਫਿਰ મળે છે. તેમાં સંભવનાથ પ્રભુજીનું મહત્ત્વ ઘણું હોય એમ સમજાય છે. અંચલગચ્છના સ્થાપક શ્રી આર્ય રક્ષિતસૂરિજી મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયા. વિક્રમની બારમી સદીમાં સૂરિપદ પ્રાપ્ત કરતાં એમનું નામ વિજયચંદ્ર ઉપાધ્યાય હતું. એમણે પાવાગઢ ઉપર આવીને મહાકાલીને તપથી પ્રસન્ન કર્યા અને સંભવનાથજીને વંદના કરી. ત્યાંથી સૂરિજીએ ભાલિજ નગર–ભાલેજમાં આવી યશેધન ભણસાળી નામના ગૃહસ્થને ત્યાં પારણાં કર્યાં એવો ઉલ્લેખ “તપાગચ્છ બૃહત્પટ્ટાવલી'માં છે. એમાં “પાવાગિરિપીઠ” એવું નામ આપ્યું છે, એટલે એ સ્થળ મહાકાળીનું પ્રસિદ્ધ પીઠ હતું, એમાં શંકા નથી. અંચલ ગચ્છના આચાર્યો કાલીમાતાને સ્વચ્છરક્ષિકા માને છે. પાવાગઢની શ્રી સંભવનાથની મૂતિ સંપ્રતિ રાજાના સમયની કહેવાતી હતી, એટલે એમનું મંદિર પણ ઘણું પ્રાચીન હેવાને સંભવ છે. એ જ શ્રી આર્યરતિસૂરિજીએ આ સ્થળમાં મહાવીર સ્વામીનાં દર્શન વિ. સં. ૧૧૬૯ માં કર્યાં હતાં, એવો ઉલ્લેખ અચલગચ્છની પટ્ટાવલીમાં છે. પરંતુ ભગવાન મહાવીરનું મંદિર તેજપાળે ગોધરાના ધુંધુલને હરાવીને ચાંપાનેર આવ્યા ત્યારે બાંધ્યું હતું અને એ મંદિર “સર્વ ભદ્ર”ની બાંધણીનું હતું એમ કહે છે અને એમાં મહાવીર સ્વામીની મૂતિ હતી. એટલે સૂરિજીએ જોયેલું એ મંદિર વસ્તુપાલ-તેજપાલે વધાર્યું કે બીજું જ બાંધ્યું, તે નકકી થઈ શકતું નથી. પાવાગઢના છેક ઉપરના “મેલિયા” કહેવાતા મેદાનમાં એક વિશાળ ચૌમુખજીના મંદિર જેવા પાયાને ઉલ્લેખ ડૉ. એટ્રોએ કર્યો છે, તે કદાચ આ મંદિર હોય. આગળ જોયું તે જીરાવલા પાર્શ્વનાથજીની મૂતિને ગઈ સદીમાં વડેદરા લાવી, ત્યાં મામાની પોળમાં પ્રતિષ્ઠા કરી છે. તપાગચ્છના ૪૪ મા પટ્ટધર શ્રી દેવેંદ્રસૂરિ હસ્યાણી નગરે ચોમાસું કરી [ વિ. સં. ૧૨૯૮ એટલે ઈ. સ. ૧૨૪૨] પાવકાચળ ઉપર શ્રી સંભવનાથને વંદી પછી કર્પટવાણિજ્ય - કપડવંજ આવ્યા હતા, એવો ઉલ્લેખ તપાગચ્છની પટ્ટાવલીમાં છે. આ બધાં મંદિરના ઉલ્લેખોમાં શ્રી સંભવનાથ ભગવાનનું મહત્ત્વ વધારે હોય એમ જણાય છે અને એમના મંદિરની પ્રાચીનતા પણ વધારે હોય એમ લાગે છે, પરંતુ એમની સ્થાપનાનું વર્ષ મળતું નથી. વિકમની પંદરમી સદીના છેલ્લા પાદમાં પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી સમસુંદરસૂરિના શિષ્ય અને સુપ્રસિદ્ધ મુનિસુંદરસૂરિજીના ગુરુબંધુ ભવનસુંદરસૂરિએ પાવાગઢના શ્રી સંભવનાથ પ્રભુજીની સ્તુતિ કરી છે. એમાં પાવાગઢને શત્રુંજય તીર્થના અવતાર તરીકે વર્ણવે છે. લેકે આ પ્રમાણે છે : છે અને શ્રી આર્ય ક યાણ ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy