SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ eddestades sites de solchestestetstest testostesleste stastastestedadlastestestostestosteseite desde edada testosododectestostestesostos desde 2 31 અરસામાં બંધાયું છે. ગુજરાતનાં હિંદુ સમયનાં સ્થાપત્યોને આ ઉત્તમ યુગ હતે. એટલે એ સ્થળોએ આજે જે સ્થાપત્ય જણાય છે, એના જેવું આ મંદિર પણ હશે, એટલી માત્ર કલ્પના કરવી પડે. આ સમયે ચાંપાનેરની રાજકીય સ્થિતિ માટે કાંઈ જ જાણવા મળતું નથી. ચૌહાણેનું રાજ્ય તે તેરમી સદીના અંતથી થયું. તે પહેલાં તુંવાર રજપૂતનું કે કેળી ઠાકોરનું રાજ્ય હોવું જોઈએ અને એ લેકે આસપાસના કેઈ મોટા રાજાના ખંડિયા હોવા જોઈએ, એટલું અનુમાન થઈ શકે. જૈન સંપ્રદાય પ્રમાણે શાસનદેવીએ : અહીં એક મહત્ત્વની વાત વિચારવી જોઈએ. જૈન પ્રણાલિકા પ્રમાણે દરેક તીર્થકરની એક શાસન અધિષ્ઠાયિકા દેવી હોય છે. એ રીતે તાંબર મત પ્રમાણે ભગવાન અભિનંદનનાથની શાસનદેવી કાલિકા છે. દિગંબર મત પ્રમાણે ભગવાન સુપાર્શ્વનાથની શાસનદેવી કાલી ગણાય છે. વેતાંબરે ભગવાન સુમતિનાથની શાસનદેવી મહાકાળીને ગણે છે. આમ કાલી અને મહાકાળી જુદી ગણે છે. અંબિકા – અંબાજી એ ભગવાન નેમિનાથની શાસનદેવી છે. આમ ગૂજરાતનાં બે શક્તિપીઠોને બ્રાહ્મણે અને જેને બન્ને માને છે, જો કે બન્ને સંપ્રદાય પ્રમાણે એ શક્તિઓનાં પ્રતિમા વિધાનમાં ફેર છે. ગિરનાર ભગવાન નેમિનાથનું સ્થળ છે ત્યાં અંબિકાનું મંદિર પ્રાચીન ગણાય છે. આરાસણ – કુંભારિયાનાં મંદિરોમાં પણ મુખ્ય મંદિર નેમિનાથજીનું છે. એ જ પ્રમાણે પાવાગઢના કાલિકાની પીઠમાં અભિનંદનનાથજી પ્રભુનું મંદિર મુખ્ય છે, એ ઉલ્લેખ ખૂબ સૂચક છે. એમ કહેવાય છે કે, જૈન પ્રતિમા વિધાનનાં લક્ષણોવાળી કાલીના વિધાનવાળું મંદિર છે. એટલે, અહીં પ્રશ્ન એ થાય છે કે, અસલ બ્રાહ્મણ મત પ્રમાણે શક્તિનું પીઠ હોય, ત્યાં એ જ દેવી જેની શાસન અધિષ્ઠાત્રી હોય, એમનું જિનમંદિર થાય? કે પછી જિનમંદિરની જે શાસન અધિષ્ઠાત્રી દેવી હોય તેનું મંદિર તે સ્થળે થાય અને બને સંપ્રદાયે પિતપતાનાં વિધારે પ્રમાણે તેને પૂજે ? આ પ્રશ્નમાં અતિહાસિક સંશોધનનો વિષય રહેલું છે, અને એની ચર્ચામાં અહીં ઉતરવાની જરૂર નથી. જૈન મત પ્રમાણે પણ કાલીમાતાના પ્રાચીન તીર્થને વાં આવતું નથી, એટલું જાણવું અગત્યનું છે. તેરમી સદી પછી ચૌહાણ પાવાપતિઓ પણ કાલીના ભક્ત હતા એ સિદ્ધ વાત છે અને રજપૂત બ્રાહ્મણવિધિ પ્રમાણે માને છે. એટલે બને મત પ્રમાણે કાલી કે મહાકાલીના સ્થાનને વાંધો આવતો નથી. બારમી અને તેરમી સદીના ઉલ્લેખઃ ભગવાન અભિનંદનનાથ અને પાર્શ્વનાથનાં મંદિર જેટલાં જ મહત્ત્વનાં મંદિરે ભગવાન સંભવનાથ અને મહાવીર સ્વામીનાં મંદિરે પણ આ સ્થળે હતાં, એને ઉલ્લેખ મા શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ 2D Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy