SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ Jeffoddesed saddoodhese send seeds felieffeઈdolife, hdvideoder felf માંડુગઢ માળવાની કોઈ ગુર્જરી–ગૂર્જર કન્યાને બાદશાહને જોવાનું કુતુહલ થાય છે, અને દહીં વેચનારીને વેશ લઈ ઘરનાંની મનાઈ છતાં બાદશાહી છાવણીમાં પ્રવેશ કરે છે. બાદશાહ તેના પર મેહ પામે છે અને તેને જમાનામાં આવવા માટે ખૂબ લાલચે આપે છે. છેવટે બાદશાહ ગુજરીને કેદ કરે છે અને ગુર્જરો અને બાદશાહના માણસો વચ્ચે લડાઈ થાય છે અને ગુજરે ગુજરીને છોડાવે છે. હવે ગુજરીની સાસુ અને નણંદ એને મેણું મારીને ઘરમાં પેસવા દેતાં નથી, એટલે ગુજરીને સત ચઢે છે અને તે પાવાગઢમાં આવીને અલેપ થાય છે, તે મહાકાળી કહેવાય છે. ગુજરાતમાં શક્તિપૂજાના ઇતિહાસમાં આવા દાખલા મળે છે, પરંતુ આ કથામાં કેટલું સત્ય છે, તે હજી નકકી થઈ શકયું નથી. આજે એમ મનાય છે કે, મહાકાળીની યાત્રાએ જે સંઘો આવે છે, તેમાં ઉચ્ચ વણે કરતાં નીચા વર્ણોની સંખ્યા વધારે હોય છે. જ્યારે શ્રીકુલનાં અંબિકામાં ઉચ્ચ વર્ણો વધારે સંખ્યામાં હોય છે. મેના ગૂજરીને ગરબો નીચા વણેમાં જે વધારે ગવાય છે, તે આ વાતને વિચાર કરતાં ખૂબ સૂચક છે. પરંતુ, આટલા ઉપરથી જ મહાકાળીની પાવાગઢ ઉપરની પ્રાચીનતાનો વિચાર થઈ શકે નહીં. ઇતિહાસની દષ્ટિએ પ્રાચીનતા : હવે આ સ્થળના સાંપ્રદાયિક ઇતિહાસને ટેકો આપતે મધ્યકાલીન ઈતિહાસ ટૂંકામાં જોઈએ. સેલંકી સમય પહેલાં તે આ સ્થળના ઉલ્લેખો મળતા નથી. એ સમયે પૂર્વ ગુજરાતમાં નાના નાના ભીલ અને રજપૂત ઠાકરેની સત્તા હોય એમ અનુમાન થઈ શકે. ચૌહાણે પહેલાં અહીં તુંવાર રજપૂતની સત્તા હતી, એમ “પૃથુરાજ રાસા’ના ઉલ્લેખ પરથી લાગે છે. રામગૌર તુંવારની સત્તાને ઉલ્લેખ આવે છે, તે ઉપરથી કાંઈ વિશેષ માહિતી મળતી નથી. સેલંકીઓને માળવા સાથે યુદ્ધો થયા કરતાં, એટલે સરહદ ઉપર આવેલા આ સ્થળનું લશ્કરી મહત્ત્વ તે સમયથી વધ્યું હોય તેમ જણાય છે. એટલે સોલંકી અને વાઘેલાના સમયમાં સમય વતીને ગુજરાત અને માળવાની બને સત્તાઓ સાથે સંબંધ જાળવી રાખનાર કોઈ નાના રાજાઓ આ સ્થળના અધિકારી હોય એમ અનુમાન કરવું પડે છે. પતાઈ ચોહાણ રાજાએ દિલ્હીને અલાઉદ્દીન ખીલજીએ ગુજરાતમાં રાજપૂત રાજ્યને છેવટને નાશ કર્યો, તે પહેલાં રજપૂતાનામાંથી હારીને નાઠેલા પૃથ્વીરાજ ચૌહાણના વંશના કેઈ પાલણદેવ નામના સરદારે જંગલે કાપી ચાંપાનેરમાં રાજધાની સ્થાપી એમ કહે છે. એટલે ઈસ. ની તેરમી સદીના અંત ભાગથી અહીં ઈતિહાસમાં સેંધી શકાય એવી સતા થઈ એટલું જ સCમાં શ્રી આર્ય કયાદાગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy