SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ Meeeeefddessferest.selesssssssssssssss.....slesde sofwessocios. ..siddess of ose ઉપરથી તેમને લોકેત્તર પ્રભાવ કે પ્રકૃષ્ટ હતું, તે જાણી શકાય છે. આર્યરક્ષિતસૂરિએ પ્રરૂપેલી સમાચારને ચેગમ પ્રસારિત કરી દેવાનું શ્રેય જયસિંહસૂરિને ફાળે જ જાય છે. અસંખ્ય લેકેને ઉદેશ આપીને તેમને જન ધર્માનુયાયી બનાવ્યા. એમની એ સેવાને જૈન શાસન કદાપિ નહીં ભૂલી શકે. શિથિલાચારને દૂર કરીને સુવિહિત માર્ગની પ્રતિષ્ઠા કરવાના કાર્યમાં પણ તેમને હિસ્સો અવિસ્મરણીય રહેશે. અચલગચ્છના દેહ માટે તે તેમને કરોડરજજુની જ ઉપમા આપી શકાય. તેમના તેજસ્વી પ્રભાવને પરિણામે જ અંચલગચ્છ સબળ સંગઠન તરીકે ઊભું રહી શક્યા અને આજે શતાબ્દીઓના વાયરા વાઈ ગયા હોવા છતાં અસ્તિત્ત્વ ધરાવી રહ્યો છે. અંચલગચ્છના આ તિર્ધર આચાર્ય સં. ૧૨૫૮ માં ૮૦ વર્ષની ઉંમરે દિવંગત થયા. (૨) મહેદ્રપ્રભસૂરિ-મેરૂતુંગસૂરિ મહેંદ્રપ્રભસૂરિ : જીરાવલ્લી તીર્થ પાસે વડગામમાં એશવંશીય આશા શ્રેષ્ઠિના ભાર્યા જીવણદેની કુખે સં. ૧૩૬૩ માં મહેંદ્ર નામના પુત્રને જન્મ થયો હતો. સં. ૧૩૭૫ માં સિંહતિલકસૂરિએ એશિયા નગરમાં દીક્ષા આપી મહેંદ્રપ્રભ નામ રાખ્યું. સં. ૧૩૯૪ માં પાટણમાં આચાર્યપદ પામ્યા. સં. ૧૩૯૮માં ખંભાતમાં ગચ્છનાયક થયા. સં. ૧૪૪૪ માં ૮૧ વર્ષની ઉંમરે પાટણમાં સ્વર્ગવાસી થયા. (૭૯૧) મહેંદ્રપ્રભસૂરિ ગચ્છાધિપતિ થયા પછી તેમણે પ્રથમ કાર્ય ગચ્છને સુધારવાનું અને સુવ્યસ્થિત રાખવાનું કર્યું. અંચલગચ્છ -પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિ અને એમના સમર્થ શિષ્ય જયસિંહસૂરિના સમયને યાદ અપાવે, એ મહેંદ્રપ્રભસૂરિ અને મેરતંગસૂરિને સમય હતો. એ જ તેજવંત સમય ગચ્છના ઇતિહાસમાં ત્રીજા અંકમાં ધર્મમૂતિસૂરિ અને કલ્યાણસાગરસૂરિના આધ્યાત્મિક શાસન દરમ્યાન પણ જોવા મળે છે. અંચલગચ્છના ઇતિહાસના આ ત્રણ તબક્કામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ તબકકાઓથી જે કાર્ય થયું, એની દૂરગામી અસર રહી. અંચલગચ્છ પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિએ આ ગચ્છમાં જે ચેતના પ્રગટાવી તેની અસર ઉતરતા ક્રમમાં, પણ ઠેઠ સુધી રહી. એ ચેતના પ્રસરાવનારું મુખ્ય બળ બન્યા, તેમના સમર્થ શિષ્ય જયસિંહસૂરિ. એવી જ રીતે એ ચેતનાને પુનઃ જુસ્સાભેર પ્રગટાવવાનું કાર્ય મહેંદ્રપ્રભસૂરિને ફાળે આવ્યું અને તેને ગમ પ્રસારિત કરવાનું મુખ્ય બળ બન્યા પ્રભાવક આચાર્ય મેરૂતુંગસૂરિ. આ કાર્યની પણ ત્રણેક શતાબ્દીઓ સુધી અસર રહી. પુનઃ ત્રીજા તબક્કામાં એ જ કાર્ય ધર્મમૂતિસૂરિ અને - - - - - - - એન આર્ય કલ્યાદાગૌતમસ્મૃતિગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy