SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ [707]estett dedestastastestatestestostestesto sosedos dedostostogostostesteste stedestestostesestaca estese de dadosastosteslestadfestosteste stedestesteste desteder કારણે, જેને પતિ મરી ગયું છે એવી વિધવા બાઈ કરતાં પણ ઘણું દુઃખ અનુભવનારી હોય છે અને તે દુઃખમાંથી મુક્ત થવા માટે બળી મરવાના અને કૂવામાં પડીને આપઘાત કર્યાનાં દૃષ્ટાંત પણ જોવામાં આવે છે. - ઉપરોક્ત પ્રતિકૂળ સંજોગોમાં સપડાયેલી સ્ત્રીઓની દયા કરવા માટે પુનર્લગ્નના રિવાજની માફક મોડો વહેલે જૈન સમાજમાં ફારગતી (Divorce)ના રિવાજને પણ ઘૂસતાં વિલંબ નહિ લાગે. જે રિવાજના પ્રભાવે પુનર્લગ્નના રિવાજ કરતાં પણ અનેકવિધ અનિષ્ટ પરિણામે ખડાં થવાનો સંભવ ઊભો જ છે. ફારગતી એટલે “લે તારી છાતી અને હું મારે ચાલી” એ કહેવત આજે યુરોપ આદિ દેશમાં છાશવારે ને છાશવારે ચરિતાર્થ થઈ રહી છે, જે સૌ કોઈ જાણે જ છે. માટે આર્ય દેશમાં અનેકવિધ અનિષ્ટ પરિણમેને અને ગેરવ્યવસ્થાને ઉત્પન્ન કરનારી તે કુપ્રથા ઘૂસે નહિ, તે હેતુથી દીર્ઘકાળથી ચાલ્યા આવતા એક પતિવ્રતના સુંદર રિવાજનું ખૂન કરવું તે ધાર્મિક તથા વ્યાવહારિક એમ બંને દૃષ્ટિબિંદુએ હિતાવહ ગણી શકાય નહિ. પુરુષને અનેક વખત પરણવાને હક અને સ્ત્રીઓને કેમ નહિ? આ પ્રશ્ન પણ કેટલાક સામ્યવાદી ભેજવાળાઓ ઉત્પન્ન કરે છે. તેમને આ પ્રશ્ન તથ્ય વિનાને હોઈ અનુચિત છે. તેના ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરવામાં આવશે તે તેનું પણ સમાધાન આપોઆપ થઈ જશે. પુરુષને એકથી અનેક વખત લગ્ન કરવાને હક કેઈ સમાજે અગર ધર્મશાસ્ત્રકારોએ આપે છે એવું કાંઈ નથી. તેમ કરવામાં તેમની વિષયવાસનાની અતૃપ્તિ તથા ભેગાવલિ કર્મો આદિ કારણે છે. ઘણું ભાગ્યશાળીએ વિયેની દુરંતતાને સમજી એથી બીજી વખત લગ્ન નથી પણ કરતા. મહારાજા કુમારપાળને એકથી અનેક સ્ત્રીઓ મળતી હોવા છતાં તેઓ બીજી વખત પરણ્યા નથી. હાલ પણ બીજી વખત નહિ પરણવાની પ્રતિજ્ઞાવાળા ભાગ્યશાળીઓ જોવામાં આવે છે. અને કદાચ પુરુષ એકથી અનેક વખત લગ્ન કરે. એટલું જ નહિ, પણ એકીસાથે અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ કરે, તે તે આજથી નહિ પણ અનાદિ કાળથી ચાલી આવતી પ્રથા છે. ચક્રવતીને ચેસઠ હજાર સ્ત્રીઓ હતી. રાજામહારાજાઓને સેંકડે સ્ત્રીઓ હતી. શાલીભદ્રજી, ધન્નાજી, જંબુસ્વામી અને મેઘકુમાર આદિ રાજપુત્રે અને શેઠશાહુકારેને એકથી અનેક પત્નીઓ હતી. કઈ પણ સમયમાં એ ઇતિહાસ છે કે, એક રાણને પાંચ-પચીશ રાજાએ પરણ્યા ' હોય અગર એક શેઠાણીએ અનેક શેઠિયાઓ પતિ તરીકે સ્વીકાર્યા હોય? અનાદિ કાળથી એવું કદી બન્યું નથી, બનતું પણ નથી અને ભવિષ્યમાં બનશે પણ નહિ. કઈ શીઆર્ય ક યાણાગૌતમસ્મૃતિગ્રંથ S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy