SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ a bscesses....su.p.bp... sense outstaste bubbe veilesponsectobsecovedosesbrosbestoboostessesbook[૧ ૧ ] ભગવાન આદિનાથ સાથે લગ્ન થાય છે. કહે કે આ પ્રસંગમાં જરા પણ વિધવાવિવાહની ગંધ જ કયાં છે? સામાન્ય બુદ્ધિવાળા પણ આ ઘટનાને દીર્ઘ દૃષ્ટિથી વિચારે તે સહેજે સમજી શકાય તેવી છે. છતાં પશ્ચિમાત્ય કેળવણીમાં નિષ્ણાત થયેલા, આ પ્રસંગને આગળ કરી ઊંધ પાટા બંધાવવા પ્રયત્ન શા માટે કરતા હશે ? કઈ પણ સારી અગર બૂરી કાર્યવાહી કઈ પણ કરે તેને કોણ રોકી શકે છે? પરંતુ તેને ભગવાનના નામે ચઢાવી ભળી જનતાને છેતરવાને પ્રયત્ન કરે છે તે તદ્ ગેરવાજબી જ ગણાય. વીતરાગ પરમાત્માના ધર્મમાં શીલ એ સૌથી શ્રેષ્ઠ અને સુંદર આચાર ગણાય છે. ‘ભરફેસરની સજઝાય’માં જે વ્યક્તિઓ ચતુર્વિધ સંઘ માટે પ્રાતઃસ્મરણીય બની હોય, તે તેમાં પણ તેમનું શીલ જ કારણ છે. તેવા સુંદર ધર્મને નાશ કરનારી વિધવા વિવાહની પ્રથા કેઈ પણ હિસાબે આવકાર પાત્ર ગણી શકાય નહીં. તદુપરાંત, અન્ને કર્મસિદ્ધાંતને પણ વિચાર કરવો જરૂરી છે. બધી સ્ત્રીઓ નહિ પણ અમુક જ બાળાઓ વિધવા થાય છે. તેનું શું કારણ? તેનું મુખ્ય કારણ તે એ છે કે, જે સ્ત્રીઓએ પૂર્વમાં શીલધર્મનું સુંદર પરિપાલન નથી કર્યું, તેવી સ્ત્રીઓને વૈધવ્ય દશા નાની ઉમ્મરમાં આવે છે. તો હવે વૈધવ્ય દશા પુનઃ પ્રાપ્ત ન થાય તે માટે શીલપાલનની આવશ્યક્તા છે. પણ તે આવશ્યકતાને નહીં સ્વીકારતાં પુનર્લગ્નની સલાહ આપી, શીલથી ભ્રષ્ટ બનાવી, ભવમાં બાળરંડાપાનું દુઃખ સમર્પણ કરવું, એ તે સેના સાઠ કરવા બરાબર છે. જે દુઃખ શીલના ખંડનથી ઊભું થયું છે, તે દુઃખને ટાળવા માટે શીલનું પાલને જ પરમ ઔષધ છે. કાદવથી ખરડાયેલા પગને સાફ કરવા માટે તેને કાદવમાં નાખવાથી કદી સાફ થતું નથી, પરંતુ તેને સ્વચ્છ કરવા માટે પાણીની જરૂર રહે છે. વળી, બાળવિધવા થતી અટકાવવા માટે કન્યાવિક્રય અને વૃદ્ધ વિવાહ આદિ કુપ્રથાને પણ રોકવાની જરૂર છે. ઊંટવૈદ્યોથી રેગ કદી પણ જશે નહીં. સત્ય ઔષધની શેધ કરવી જરૂરી છે. જે લેકે એમ કહે છે કે, “જેને પુનમ કરવું હોય એ કરે, ન કરવું હોય તે ન કરે. પણ સમાજ તરફથી કોઈ પ્રતિબંધ હોવો ન જોઈએ, કારણ કે, બળાત્કારથી ધર્મ કરાવવામાં શો ફાયદો છે ? ” આ તેમનું કહેવું પણ યુક્તિયુક્ત નથી. જૈનશાસન જેમાં પાપ માને છે, કે જેથી ભવિષ્યમાં અત્યંત નુકસાન થવાને ભય જુએ છે, તેવી કાર્યવાહીને પ્રતિબંધ તેણે કરે જ જોઈએ, આત્મહિતને નુકસાન પહોંચાડનારાં શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ ગિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy