SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ s ereotees. .............. ... ....... ... [૩૩] અપ્રતિમ રૂપ અને સૌભાગ્યના ઉદ્દભવથી પવિત્ર એવા તેમના યૌવન કાળમાં તેમનાં રૂપ-સૌભાગ્યની શોભા તો એવી અદ્ભુત હોય છે કે દેવતાઓ, અસુરો અને મનુષ્યના સ્વામીઓના (ઇંદ્ર આદિના) અંતઃકરણમાં પણ પરમોચ્ચ ચમત્કાર ઉત્પન્ન થાય છે. સર્વ દેવતાઓ મળીને એક અંગુષ્ટ પ્રમાણ રૂપને નિર્માણ કરે, તે પણ તે રૂપ ભગવંતના અંગુઠાના રૂપની આગળ જાજવલ્યમાન અગ્નિની આગળ અંગારાની જેમ શોભાને પામતું નથી. વિશિષ્ટ પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થકર ભગવંતના સંઘયણ, રૂ૫, સંસ્થાન, વર્ણ, ગતિ, (ચાલ), સત્ત્વ, ઉચ્છવાસ વગેરે બધું જ જગતમાં સર્વોત્તમ હોય છે. ખરેખર રૂ૫, સૌભાગ્ય અને એક હજાર આઠ બાહ્ય લક્ષણથી સહિત એવું તેમનું શરીર સૌંદર્યનું, લાવણ્યનું, કાંતિનું, દીપ્તિનું અને તેજનું પરમ અદ્દભુત ધામ હોય છે. સ્વર્ગમાં દેવદેવીએ તે રૂપ આદિના ગુણગાન અને ચિંતન કરે છે, પાતાળલેકમાં પાતાળવાસી દેવાંગનાઓ તેને સ્તવે છે અને મત્સ્યલેકની અંદર મનુષ્ય સ્ત્રીઓ તેનું ધ્યાન કરે છે. ખરેખર, તેમના જેવું રૂપ, સૌભાગ્ય, લાવણ્ય, ગમન, વિલેમન, વચન, દર્શન, સ્પર્શન, શ્રવણ, ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય, સમર્યાદત્વ, આર્યત્વ, દયાળુતા, અનુદઢતા, સદાચાર, મનઃસત્ય, વચનસત્ય, કાયાક્રિયાસત્ય, સર્વપ્રિયત્વ, પ્રભુત્વ, પ્રશાંતત્વ, જિતેદિયત્વ, ગુણત્વ, ગુણાનુરાગી ત્વ, નિર્મમત્વ, સૌમ્યતા, સામ્ય, નિર્ભયત્વ, નિર્દોષત્વ ઈત્યાદિ જગતમાં બીજા કેઈમાં પણ હોતાં નથી. ત્રણે લોકમાં અત્યંત અલૌકિક અને સૌથી ચડિયાતા ગુણોના સમૂહના કારણે તે તીર્થકર ભગવંતે સૌથી મહાન બને છે. અને તેથી જ સર્વત્ર મહાન પ્રતિષ્ઠા (કીતિ, યશ આદિ)ને પામેલા છે. તેઓ સર્વત્ર ઉત્તમ વિવેકથી વિવિધ કાર્યોને કરે છે અને સર્વત્ર ઉચિત જ આચરવામાં અત્યંત ચતુર હોય છે. આત્મામાં અભિમાન આદિ વિકારને ઉત્પન કરનારાં સર્વોત્તમ જાતિ, કુળ, રૂપ, બળ, પ્રભુતા, સંપત્તિ વગેરે અનેક કારણે વિદ્યમાન હોવા છતાં પણ તેઓ સર્વત્ર નિર્વિકાર હોય છે. તેઓ જાણે છે કે, વિષયસુખ અનંત દુઃખનું કારણ છે અને સ્થિરતાનું નાશક છે, છતાં પૂર્વ ભવમાં ઉપાર્જિત કરેલ તેવા પ્રકારના ભેગેને આપનાર કર્મોના બળથી તેઓ વિપુલ સામ્રાજ્ય, લક્ષ્મીને ભેગવે છે. તે વખતે પણ તેઓ નિરુપમ વૈરાગ્ય રંગથી રંગાયેલા હોય છે. જ્યારે તેઓ દેવેંદ્રો અને નરેદ્રોની લક્ષ્મીને ભોગવતા હોય છે, ત્યારે પણ તેઓ વિરક્ત જ હોય છે. એમ આર્ય કરયાણાગામસ્મૃતિગ્રંથ કહી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy