SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] હhooooooooooooooooooooooooooooose desibeesessesbot.hse.govbbed સંસારમાં એવી કોઈ રમ્ય ભેગ સંપત્તિ નથી કે, જે તેમના મનમાં રાગને ઉત્પન્ન કરી શકે. સંસારમાં એવી કઈ વસ્તુ વાસ્તવિક રીતે સારભૂત નથી કે જે તેઓના મનને આકર્ષી શકે. એવું હોવાં છતાં પણ તેઓ વિધિપૂર્વક ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે પુરુષાર્થો સિદ્ધ કરે છે. પુરુષાર્થ જે મિક્ષ –તેની સાધનાને હવે સમય થયે છે, એમ જાણતા હોવા છતાં પણ જ્યારે પાંચમા દેવલોકમાં રહેલા લેકાંતિક દેવતાઓ ભગવંત પાસે આવીને સાંવત્સરિક દાનના સમયને જણાવે છે, ત્યારે તેઓ દીક્ષાની તૈયારી કરે છે. પ્રભાત સમયે ભગવંત સ્વયં જાગૃત થાય છે, છતાં શંખ વગેરેના ધ્વનિથી તથા “જ્ય જય” આદિ શબ્દોથી તેઓને સમયને ખ્યાલ આપવામાં આવે છે. તે પછી ગામે, નગરે વગેરેમાં પટહના વગાડવાપૂર્વક “વરવારિકા' કરાવવામાં આવે છે. “વરવારિકા એટલે “દરેકને ઈચ્છિત અપાય છે” એવી સાંવત્સરિક મહાદાનની ઉષણા. તે પછી સેનું, રજત, રત્ન, વ, આભૂષણ, હાથી, ઘડાઓ વગેરે વડે સાંવત્સરિક મહાદાન કરવામાં આવે છે. તેમાં ભગવંતની બધા લોકો ઉપર સમાન કૃપા હોય છે. તે પછી સંપૂર્ણ પૃથ્વીને ત્રણથી રહિત કરવામાં આવે છે. તે પછી સર્વત્ર યશ અને કીર્તિને સૂચક પટહ વગાડવામાં આવે છે. ચોસઠ ઇંદ્રો ભગવંતના દીક્ષા સમયને અવધિજ્ઞાન વડે જાણે છે. તેઓ પરિવાર સહિત ભગવંતની પાસે આવે છે. તેઓ સર્વ સમૃદ્ધિ, વડે સર્વ પ્રકારે આઠ દિવસને મહોત્સવ કરે છે. , તે પછી ભગવંતે સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે. તેઓ સર્વ શિક્ષાઓના રહસ્યને જાણે છે. તેઓનું ચિત્ત કેવળ મેક્ષમાં બંધાયેલું હોય છે. તેઓ પૃથ્વીતળ ઉપર અપ્રતિબદ્ધ વિચરે છે અને પરિષહ અને ઉપસર્ગોને સહન કરે છે. તેઓ સમસ્ત બાહ્ય અને અત્યંતર પરિગ્રહને ત્યાગ કરે છે, તેથી નિગ્રંથ કહેવાય છે. - મિત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓથી તેઓ ધર્મધ્યાનને સ્થિર કરે છે. તે પછી ક્ષાંતિ આદિ આલંબનથી શુકલ ધ્યાન ઉપર આરુઢ થાય છે. તે પછી ક્ષેપક શ્રેણી દ્વારા ચાર ઘાતકર્મને ક્ષય કરે છે, તેથી સર્વ દ્રવ્ય અને તેઓના સર્વ પર્યાને સાક્ષાત્કાર કરતું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ઘાતકમને ક્ષય થતાં જ શ્રી તીર્થકર ભગવંતેને વિશિષ્ટ પ્રકારની નામકર્મની પ્રકૃતિને ઉદય થાય છે. તે તીર્થંકર નામકર્મ કહેવાય છે. તેને મહિમાં આ પ્રમાણે છે : , , એક યોજન પ્રમાણ ભૂમિનું વાયુકુમાર દેવતાઓ પ્રમાર્જન કરે છે. મેઘકુમાર દેવતાઓ સુગંધી જળથી સિંચન કરે છે. તુકુમાર દેવતાઓ પાંચ વર્ણનાં સુગંધી ICD મા શ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy