SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ estadestas estado destado sadada des dedostaslastestostesteste slastestestostestestostestostestostestosteste destastedadosladadosadadesta sadasta sastostadastastedes 31 [૩] વીરત્યય (વીર સ્તવ) આ તૃતીય સ્મરણમાં છે પદ્યો છે, અને તે પ્રાકૃતમાં છે. પ્રથમ પદ્યને પ્રારંભ જયઈનવ થી કરાય છે. આ કૃતિ પર જિનપ્રભસૂરિએ ઈ. સ. ૧૭૮૦માં રચેલી વૃત્તિના આધારે કઈકે રચેલી અવચૂરી તે છેલ્લા ચાર પદ્ય પૂરતી છે. આથી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, પહેલી બે ગાથા શું પાદલિપ્તસૂરિએ રચી નથી? અને કેઈએ એ રચી અને તેમણે કે બીજા કોઈએ આમાં દાખલ કરી દીધી? આ દિશામાં આગળ વધાય તે માટે સૌથી પ્રથમ તે આ છ પદ્યવાળા સ્મરણની પ્રાચીનતમ હાથપેથીની તપાસ થવી ઘટે. આ સ્મરણને વિષય મહાવીર સ્વામીનું ગુણગાન છે. તેમ છતાં તેમાં સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિદ્યાને અનુલક્ષીને પણ વિચાર કરાય છે, એમ અવચૂરી જે અંતિમ ચાર પદ્યો સહિત મારા સંપાદિત પુસ્તક નામે “ચતુર્વિશતિ પ્રબંધ'ના ગુજરાતી અનુવાદમાં છપાઈ છે, તે જોતાં જણાય છે. “ચતુર્વિશતિ પ્રબંધ” (મૂળ)ના સંપાદનમાં મેં છ એ પદ્યો આપ્યાં છે. કર્તા ઃ અંતિમ પદ્યમાં કર્તાએ પાલિત્તય” (પાદલિપ્ત) એવું પિતાનું નામ દર્શાવ્યું છે. રાજશેખરસૂરિએ વિ. સં. ૧૮૦૫માં રચેલા “ચતુર્વિશતિ પ્રબંધ” યાને પ્રબંધ કેશમાં પાંચમા પ્રબંધરૂપે પાદલિપ્તસૂરિને વૃત્તાંત આલેખ્યો છે, અને એ મારા ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત છે. અત્રે એ વાત નેધીશ કે, આ પૂર્વે પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં રચેલા “પ્રભાવક ચરિત”માં જે ૨૨ મુનિવરેની જીવન ઝરમર રજૂ કરી છે, તેમાં પાદલિપ્તસૂરિ માટે પણ તેમ કર્યું છે. પાદલિપ્તસૂરિ સંગમસિંહના શિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય અને સ્કંદિલસૂરિના ગુરુ થાય. કમ્પની ચૂર્ણિમાં એમને “વાચક” કહ્યા છે. તેઓ વૈનાયિકી બુદ્ધિ માટેના એક ઉદાહરણરૂપ છે. તેમણે આ “વીરસ્થય” ઉપરાંત નિમ્નલિખિત કૃતિઓ રચી છે, તેવા ઉલ્લેખ મળે છે. ૧. આની એક પણ હાથથી ઉપલબ્ધ હોય એમ જણાતું નથી. ૨. આના જિજ્ઞાસુએ “અનેકાર્થ રત્ન મંજૂષા' (પૃ. ૧૩૨-૧૩૩ ) તેમ જ ચતુર્વિશતિને અનુવાદ ગ’ પરિશિષ્ઠમાં જોવાં. ૩. “જૈન સાહિત્યકા બહઃ ઈતિહાસ” (પૃ. ૨૦૬) પ્રમાણે તે આ “વર સ્તવ” માં આકાશ ગામિનીનું પણ ગુપ્ત વિવરણ કરાયું છે. ૪. જુઓ. “આવસ્મય નિજજુતિ” (ગા. ૯૪૪)ની હારિભદ્રીય ટીકા, - શ્રી આર્ય કરયાણામસ્મૃતિગ્રંથ DિE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy