SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ નbovost lovesponsibiogspect sectsloods subsectorsponse.web sessoms obsessonlosopossessociatestosteroscost ] (૩) મોટા આસબીઆના શ્રેષ્ઠિવર્ય શ્રી શામજી જખુભાઈ ગાલા. આ યાદગાર અતિહાસિક સંઘ આ યુગનું ધાર્મિક જાગૃતિનું જવલંત ઉદાહરણ રહેશે. સંઘ પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રી ઉગ્રવિહાર કરી પુનઃ કચ્છ પધાર્યા. અહીં મકડામાં વરસીતપ પારણા પ્રસંગે પૂજ્યશ્રીએ પૂ. ૯પા. શ્રી ગુણાદયસાગરજીને સૂરિપદે આરૂઢ કર્યા. પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ભુજપુર મુકામે યાદગાર અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. સં. ૨૦૩૩ નો ચાતુર્માસ કોઠાર થયો ત્યાર બાદ પૂજ્યશ્રી પાલીતાણા પધાર્યા. અહીં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી અને કદંબગિરિ તીર્થને છરી પાળતે સંઘ ઈત્યાદિ પ્રવૃત્તિઓ થઈ. મુંબઈ તરફ પધરામણી અને છરીપાલક સંઘ, ઉજમણું ઇત્યાદિ અતિહાસિક ધર્મ પ્રવૃત્તિઓ : મુંબઈ સંઘોની વિનંતિથી પાલીતાણથી અમદાવાદ, વડોદરા, સુરત વગેરે થઈને પૂ. ગચ્છાધિપતિશ્રી મુંબઈ પધાર્યા. અગાસી તીર્થ મુકામે પૂ. ગચ્છાધિપતિશ્રીનું અતિહાસિક સામૈયું થયું. અને પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં જ મુનિશ્રી કલાપ્રભસાગરજીની પ્રેરણાથી અગાસી તીર્થથી જીરાવલ્લા પાર્શ્વનાથ તીર્થ (ઘાટકોપર)ને છરી પાળ સંઘ નીકળે. ઉક્ત મુનિશ્રીની પ્રેરણાથી ઘાટકોપરમાં ૧૦૮ છેડનું એતિહાસિક ભવ્ય ઉજમણું તથા વરસીતપના ૮૧ તપસ્વીઓનાં સામુહિક પારણને મહોત્સવ ઉજવાયો. સં. ૨૦૩૪ ને ચાતુર્માસ ઘાટકોપર અને સં. ૨૦૩૫ નો ચાતુર્માસ ચીંચબંદર – શ્રી ક. વી. એ. દેરાવાસી જન નવી મહાજનવાડીમાં થયો. સં. ૨૦૩૬ ને ચાતુર્માસ મુલુંડમાં થયો. આ ચાતુર્માસને દીપાવવા દરેક સંઘોએ ધન ખર્ચ અપૂર્વ લહાવો લીધો. મુલુંડ સંઘે તે પૂજ્યશ્રીની પ્રેરણાથી વિદ્યાપીઠા માટે દોઢ લાખ રૂપિયાનું ફંડ કરી યશસ્વી કાર્ય કર્યું. મુલુંડ ચાતુર્માસ દરમ્યાન ધાર્મિક સૂત્ર ઈનામી યોજનામાં ૪૦૦ જેટલા વિદ્યાથીઓ – વિદ્યાર્થિનીઓ જોડાયેલાં. તેમને મોટાં ઈનામ આપવામાં આવ્યાં. પૂ. ગચ્છાધિપતિશ્રીની પ્રેરણાથી મુંબઈમાં આજ સુધીમાં સાત જેટલાં ધાર્મિક જ્ઞાનસત્ર પણ યોજાઈ ગયાં છે. પૂજ્યશ્રોની તપારાધના : પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રી છેલ્લાં ૪૭ વર્ષોથી એકાસણું કરે છે. છેલ્લાં ૫ વર્ષોથી પ્રત્યેક માસી તપ (વર્ષા ચોમાસાના ચાર માસ એકાંતરા ઉપવાસ) પણ કરે છે. એવી જ રીતે પૂજ્યશ્રી હજી પણ આ વૃદ્ધ વયે દરરોજ સવારે શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતેની ભક્તિરૂપે ૧૦૮ ખમાસમણ આપે છે. થી શ્રી આર્ય કયાણ મોતHસ્મૃતિ ગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy