SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ હoonકહ oddodderedtdoooooooooooooooooooost, સુદ ૧૦ ના ભાયખલાના મોતીશા જિનાલયમાં છ બહેનોને દીક્ષા આપી. દીક્ષાની કિયા તેમના સુવિનીત શિષ્ય પૂ. મુનિશ્રી નીતિસાગરજીએ કરાવી. મુંબઈમાં અચલગરછમાં દીક્ષાને આ પ્રસંગ પ્રથમ હાઈ ક. વી. ઓ. જૈન મહાજન તથા ક. દ. એ. જન મહાજન અને ગુર્જર અચલગચ્છીય સમાજના શ્રેષ્ઠિઓએ ધન ખરચી ખૂબ જ લહાવો લીધો. સં. ૧૯૬૮ નું ચાતુર્માસ ખડક (મુંબઈ)માં આવેલ કરછી દશા ઓશવાળ જૈન મહાજનવાડીમાં કર્યું. ચાતુર્માસ બાદ પૂજ્યશ્રી કચ્છના વિહારને વિચાર કરતા હતા, પણ શ્રી ક.દ.ઓ. જૈન સંઘની અતિ આગ્રહભરી વિનંતિથી વધુ એક વરસ મુંબઈમાં ચાતુમસ કરવાનો નિર્ણય થયો. ભાંડુપમાં ક. દ. ઓ. જન મહાજનવાડીમાં બાયઠના ખેરાજ પુંજાના ભત્રીજા મુમુક્ષુ ધનજીભાઈને સં. ૧૯૮ ના મહા વદ ૧૧ ને સોમવારે દીક્ષા આપી, ધર્મસાગરજી નામ રાખી મુનિશ્રી નીતિસાગરજીના શિષ્ય કર્યા. આ પ્રસંગે શ્રી. ક. દ. ઓ. જૈન સંઘ તરફથી સ્વામીવાત્સલ્ય થયું. સં. ૧૬૯ નું ચાતુર્માસ ખડક પર આવેલી ક. દ. એ. જન મહાજનવાડીમાં કર્યું. ચોમાસા બાદ કચ્છના વિહારને તેમણે નિર્ણય જ કરી લીધો. શ્રી. ક. દ. ઓ. જન સંઘે ફરી એક વધારે ચાતુર્માસ કરવા વિનંતિ કરી પણ પૂજ્યશ્રીએ કહ્યું: “મુંબઈમાં ત્રણ ચાતુર્માસ થયા.” સંઘે કહ્યું: “તે આપે દર વર્ષે આપણા ગચ્છના સાધુસાધ્વીજીઓના ચાતુર્માસ આપવા.” ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું: “ચાતુર્માસ ઊતરતાં તમારે પત્ર લખવો, તે ક્ષેત્ર સ્પર્શનાએ મોકલીશું.” આ પ્રસંગે શેઠ શ્રી ખેતશી ખીંયશી ધુલ્લાએ કહ્યું : “ અમારે શત્રુંજય તીર્થનો સંઘ કાઢવો છે. સંઘ પાલીતાણા પહેચે, તે વખતે આપ પણ પાલીતાણું પધારે.” પૂજ્યશ્રીએ કહ્યું: “જેવી ક્ષેત્ર સ્પર્શના.” મુંબઈથી પાલીતાણું અને કછ તરફ પધરામણું : પૂજ્યશ્રીએ મુંબઈથી વિહાર કર્યો. અને સં. ૧૬૯ ના પોષ વદ ૩ ના પાલીતાણા પધાર્યા. શેઠ ખેતશી ખીંયશી ધુલાએ મુંબઈથી રેલવે દ્વારા કાઢેલ સંઘ પણ પાલીતાણા આવી ગયેલા. પૂજ્યશ્રીનાં દર્શન-વંદન અને વાણી શ્રવણથી સૌ ધન્ય બન્યા. પાલીતાણાથી વિહાર કરી તેઓ ભચાઉ આવ્યા. અહીંની સ્થિરતાથી ધર્મોપદેશથી ખૂબ જ ધર્મોન્નતિ થઈ. અચલગચ્છના સમુદાયના મુનિશ્રી રવિચંદ્રજી : ત્યાંથી વિહાર કરતા પૂજ્યશ્રી અંજાર આવ્યા. અહીં સ્થાનકવાસી મુનિ રવિચંદ્ર સ્વામી પોતાના શિષ્યાદિ સહ પૂ. મુનિશ્રી ગૌતમસાગરજીને વાંદવા આવ્યા અને પોતાને શ્રી શ્રી આર્ય કરયાણાગામસ્મૃતિગ્રંથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy