SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ s.sevlovestostsfast............wwwsoevestosts] sil hotosb si clossastest slowless sales so closest testoboostxb. દાદાશ્રીની પુનિત સ્મૃતિમાં ધાર્મિક સંસ્થા : દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ આદિની સ્મૃતિ નિમિત્તે વિદ્યમાન અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની મંગલ પ્રેરણાથી સં. ૨૦૩૦ માં શ્રી આર્ય રક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ દ્વારા “શ્રી કલ્યાણ-ગૌતમ-નીતિ જૈન તત્ત્વજ્ઞાન શ્રાવિકા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી છે. તેમાં જૈન કન્યાઓ, વિધવા, ત્યક્તા બહેનો ઇત્યાદિ ધાર્મિક તત્ત્વજ્ઞાનની તાલીમ મેળવી રહી છે. શ્રી કલ્યાણસાગરસૂરિ ચતુર્થ જન્મ શતાબ્દીની સ્મૃતિ : સં. ૨૦૩૩-૩૪ દરમ્યાન અચલગચ્છાધિપતિ દાદાશ્રી કલ્યાણસાગરસૂરિની ચતુર્થ જન્મશતાબ્દીની સ્મૃતિ નિમિત્તે વિદ્યમાન અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંતશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભ પ્રેરણાથી ભારતભરમાં ઠેરઠેર ભવ્ય મહોત્સવોઆરાધના, અઠ્ઠમતપ, આયંબિલ તપ, જાપ, અનુષ્ઠાન, પુસ્તક વિતરણ, પુસ્તક પ્રકાશન, રંગેળી, તેઓશ્રીનું જીવનચરિત્ર પ્રકાશન આદિ થયાં હતાં. તેઓશ્રીની નિશ્રામાં તથા તેઓશ્રીનાં આઝાવતી સાધુસાધ્વીજીઓ તથા ગ૭નાં સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં રાજસ્થાન, કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ, મહારાષ્ટ્ર આદિમાં પણ ભવ્ય મહોત્સવ આરાધનાપૂર્વક થયા હતા. મુંબઈમાં કરછી વીશા ઓશવાળ દેરાવાસી જૈન મહાજન દ્વારા ભાતબજાર, લાલવાડી અને ઘાટકોપર જિનાલયોમાં તથા કચ્છી દશા ઓશવાળ જન જ્ઞાતિ મહાજન અને શ્રી અનંતનાથજી મહારાજ અને તેના “સાધારણ ફંડોનું ટ્રસ્ટ દ્વારા ખારેકબજાર અને ભાંડુપન જિનાલમાં અને મુલુંડમાં કલ્પસૂત્ર પ્રકાશન સાથે ભવ્ય વરઘોડાનાં આયોજન અને મહોત્સવ મુનિ કલાપ્રભસાગરજી આદિ ઠાણું ૪ની નિશ્રામાં ઉજવાયા હતા. ત્યાંના સંઘોએ પણ આ પ્રસંગે ખૂબ જ લાભ લીધેલ. શ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્રકાશન કેન્દ્ર : દાદાશ્રી કલ્યાસાગરસૂરીશ્વરજી મ. સા.ની ચતુર્થ જન્મશતાબ્દીની સ્મૃતિ નિમિત્તે શ્રી આરક્ષિત જન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ” હસ્તકના “દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્રકાશન કેન્દ્ર” દ્વારા દશ જેટલા ગ્રંથ બહાર પડી ચૂક્યા છે. તથા “શ્રી આર્યકલ્યાણ ગૌતમ કૃતિ ગ્રંથે” (પ્રસ્તુત ગ્રંથ) નું પ્રકાશન અ૯૫ સમયમાં જ થનાર છે. આ સ્મૃતિગ્રંથમાં ભગવાન શ્રી મહાવીરદેવથી માંડી વિદ્યમાન અચલગચ્છાધિપતિશ્રીનું જીવનવૃત્ત તથા જન ધર્મ અને અચલગચ્છને સ્પર્શતા સંશોધનાત્મક લેખો, સંસ્કૃત, ગુજરાતી અને હિન્દીમાં હશે. આ સૃતિગ્રંથમાં ગચ્છનાયક આચાર્યાદિના તથા ભારતભરના ચી શ્રી આર્ય કયા ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy