SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ડેડીયાલેચા આડક : શ્રી મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી ચૌહાણ ભીમ રજપૂત જનધનુયાયી બન્યા. તેને ડેડ ગામને અધિકાર મળ્યો હતો. તેથી તેના (ભીમ રજપૂતના) વંશજો “ડેડીયાલેચા એડકથી ઓળખાયા. તેમણે ડેડ ગામમાં શ્રી વાસુપૂજ્ય પ્રભુનું વિશાળ જિનાલય બંધાવ્યું. બેણપમાં “અષ્ટોતરીની રચના : બેણુપમાં શ્રી મહેન્દ્રસિંહસૂરિ પિતાના સેળ શિષ્યો સાથે ચાતુર્માસ રહ્યા હતા. આ બેણપ ગામમાં જ પ્રતિક્રમણમાં તેમણે “અષ્ટોત્તરી તીર્થમાળાની રચના કરી, સ્તુતિ કરી હતી. આ “અષ્ટોત્તરી તીર્થમાળા આજે પણ અચલગચ્છના પ્રતિકમણમાં બોલાય છે. શંખેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર : આ ગચ્છના પ્રથમ શ્રાવક શ્રી યશોધન ભણશાલીના વંશજ શ્રેષ્ઠી શ્રી રીડા શાહે સં. ૧૨૯૫ માં શંખેશ્વરજી મહાતીર્થનો જીર્ણોદ્ધાર શ્રી મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી કરાવ્યો હતો. રીડા શેઠના વંશજો શંખેશ્વરથી માંડલ જઈને વસ્યા હતા. દિગંબરાચાર્ય સામે જીત : શ્રી મહેન્દ્રસિંહસૂરિ મહાવારી હતા. ભીમસેન નામના દિગંબર મુનિને વચનની ચતુરતાથી જીતી લઈ તેમણે તેને પિતાને શિષ્ય બનાવ્યો હતે. રાજા પૃથ્વીચંદ્રને પ્રતિબોધ : વાચક લાવણ્યચંદ્ર એવો પણ ઉલ્લેખ કરે છે કે, શ્રી મહેન્દ્રસિંહસૂરિએ પૃથ્વીચંદ્ર નામના રાજાને પ્રતિબંધ પમાડી જૈનધનુયાયી બનાવ્યા હતા. રત્નપુરમાં જિનાલય અને વીરજી શેઠનાં ધર્મકાર્યો : રહડના કટારીઆ ગોત્રના શ્રી કરણ શેઠના પુત્ર વીરજી શેઠે વિ. સં. ૧૨૯૬ માં ભિન્નમાલ નજીકના રત્નપુરમાં આ સૂરિજીના ઉપદેશથી શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું હતું. વીરજી શેઠે આ ઉપરાંત શત્રુંજય તીર્થને સંધ કાઢયો હતો અને ધર્મકાર્યોમાં સાત લાખ સેનામહોરને વ્યય કર્યો હતો. મહેન્દ્રસૂરિના દર્શને મંત્રી વસ્તુપાળ અને તેમના સંશોનું સમાધાન : શ્રી મહેન્દ્રસૂરિની પ્રવચનશૈલીથી આકર્ષાઈ મંત્રીશ્રી વસ્તુપાળ પોતાના ૮૪ સુભટોની સાથે તેમને વાંચવા માટે કર્ણાવતી નગરીમાં આવ્યા હતા. સૂરિજીની દેશના સાંભળી વસ્તુપાળના બધા સંશ દૂર થઈ ગયા. એક વખત જાલેરને સંઘ તેમને વંદન કરવા આવ્યું, ત્યારે સૂરિજીએ સંઘના વ્યાસી સંશય પૂછયા વિના જ એક જ વ્યાખ્યાનમાં દૂર કર્યા અને બે સંદેહ એકાંતમાં દૂર કર્યા. તેમને આગમો મુખપાઠ હતાં, એટલું જ ઐઆર્ય કયાણગૌતમ સ્મૃતિ ગ્રંથ (3) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy