SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] 262%e0essessessicassessessessessessession pressesseeds સુભગે ! ભાવિમાં થનારો પુત્ર તારે આધાર થશે.” એમ કહી ધનગિરિએ સિંહગિરિસૂરિ પાસે દીક્ષા લીધી. શુભ ક્ષણે સુનંદાએ સૂર્ય સમ તેજસ્વી એવા પુત્રરત્નને જન્મ આપે. “પિતાએ દીક્ષા લીધી છે” એ શબ્દ સાંભળતાં જ એ બાળક પણ જાતિસમરણ જ્ઞાનથી વૈરાગી બન્યું. માતા મોહવશ પોતાને દીક્ષા લેવા રજા નહિ આપે, એમ સમજી બાળક રડવા લાગ્યા. આમ ઘણા મહિનાઓ વીત્યા. અંતે માતા સુન દા કંટાળી ગઈ. પિતામુનિની ગોળીમાં આવતાં જ વિલાપ બંધ: એકદા તે બાળકના પિતા ધનગિરિ મુનિ ગેચરી અર્થે પધાર્યા. સુનંદાએ તેમને કહ્યું : “આ તમારે પુત્ર છ માસથી રડ્યા જ કરે છે, માટે એને લઈ જાઓ.” ગુરુની સૂચના મળી હતી : “આજે જે કંઈ મળે તે લઈ લેવું.” એ મુજબ આર્ય ધનગિરિ મુનિએ ઝોળીમાં તે બાળકને વહારી લીધે, અને તરત તે બાળક રડતે બંધ થઈ ગયે. આથી બાળકની માતા સુનંદા આશ્ચર્ય પામી. ધનગિરિ મુનિએ તે ઉપાશ્રયે જઈઝળી ગુરુદેવના હાથમાં આપી. તેજસ્વી અને વજી જેવા ભારે બાળકને જોઈ ગુરુદેવે કહ્યું : “આ બાળકનું નામ “કુમાર” રાખવું ઉચિત છે. ગુરુએ આ બાળક સાધ્વીજીઓને સેં. સાધ્વીજીઓએ આ બાળક પાલન માટે શ્રાવિકાઓને સેપ્યો. બાળક વકુમાર ધીમે ધીમે મેટો થવા લાગ્યો. સુનંદાને ખબર પડતાં તે તરત જ પોતાના પુત્રને લેવા દેડી ગઈ પણ શ્રાવિકાઓએ બાળક પાછો ન અપાય એમ કહ્યું. તે પછી રે જ માતા સુનંદા બાળકને સ્તન્યપાન કરાવવા ઉપાશ્રયે આવતી. રાજસભામાં ન્યાય : શ્રી સિંહગિરિ સૂરિ અને ધનગિરિ મુનિ જ્યારે પુનઃ તે નગરમાં પધાર્યા, ત્યારે સુનંદાએ પિતાના પુત્રની માગણી કરી, ત્યારે ધનગિરિ મુનિએ કહ્યું : “વહોરવેલ બાળક પાછો કેમ સંપાય?’ અંતે આ વાતને ન્યાય રાજા કરે એમ નક્કી થયું. રાજાએ પ્રથમ તક સુનંદાને આપી. વજકુમારને તેની માતા સુનંદા મીઠાઈઓ અને રમકડાં આદિ બતાવી પિતાની તરફ બેલાવવા લાગી, પણ વજકુમાર લેભા નહિ. અંતે સુનંદા થાકી. પછી રાજાના વચનથી ધનગિરિ મુનિએ કહ્યું : “હે વત્સ, જે તારે દીક્ષા જ લેવી હોય, તે અમારી પાસે તે આ ધર્મધ્વજ ( ૨હરણ) છે, તે લે. આ સાંભળી તરત જ વજકુમાર દોડયો અને ધર્મધ્વજ (ઘ) હાથમાં લઈ સભા વચ્ચે તે હર્ષપૂર્વક નાચવા લાગ્યા અને પિતા ધનગિરિ મુનિના ખોળામાં બેસી ગયા. મારા પતિ અને પુત્ર બંને વૈરાગી છે, તો મારે પણ આદ્ધાર કરે જોઈએ' એમ વિચારી સુનંદાએ પણ દીક્ષા લઈ લીધી. ADS શ્રી આર્ય કયાાગોમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy