SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ શુ અભિપ્રાય છે ? મેં વિનમ્રપણે જવાબ આપ્યા – મહારાજશ્રી ! હું તો નાના સાધુ છું મને શું ખબર પડે ? આપ જેવા સમ મહર્ષિ મુનિરાજોનુ આ કાર્ય છે ? ત્યારે તેઓશ્રી કેટલી પ્રસન્નતાથી બેલી ઉઠયા કે, માળેા – ટાદના સાધુ ભારે બાહોશ છે. હું ઉપરના માળે વ્યાખ્યાન આપતા હતા તે તેમણે નીચે સારવાર લેતા–લેતા સાંભળ્યું. વ્યાખ્યાન બાદ કવિવર્ય શ્રી બાલ્યા – તારા જેવા પહાડી અવાજવાળાને ધ્વનિવર્ધકની જરૂર નથી પણ મારા જેવા મુદ્રાએ શુ કરવુ? હું તે વખતે સર્વા પ્રતિભાશાળી સત સાથે જીભાજોડી કરી શકયા નહિ. વાત્સલ્યમૂર્તિ પૂ. શ્રી નાનચંદ્રજી મ. જ્ઞાનની પ્રાપ્તિ અને સ્વાનુભૂતિ માટે જૈન અણુગાર ધર્મને સ્વીકારી ગુરુદેવની ૯ વર્ષ સુધી સેવાધર્મો પરમ ગહનો યોગિનામપ્યગમ્ય :’કિત અનુસાર અપ્લાન પ્રસન્ન ચિત્તે સેવા કરી હતી. જીવ અને જગતના પ્રત્યેક પાસાનું જ્ઞાન મેળવી અંતરની વીણાના તારમાંથી નીકળેલ સુરીલી નિ દ્વારા કંઈક ભન્ય પાત્રાને પ્રેરણા આપી છે. તેઓશ્રીએ ‘પ્રાર્થના મદિરમાં’ ભકિત, અભિલાષા અને આરજુના માધ્યમથી સ્વ–પરના હિતની પ્રેરણા પાઈ છે. જેમકે – ‘જગતના નાથને જોયા વિણ સૌ ધૂળધાણી છે,’ “જાગ્યા ન ઘટ અંતર વિષે નિશિ જાગવાથી શું થયું” દ્ર કાં પ્રભુ ! દોડ તુ મારે રમત રમવી નથી” વિ. કાવ્યઝરણાંમાં ભારાભાર જિજ્ઞાસા સત્યપિપાસા અને અંતરની નિર્મળ અભિલાષા તરતી દેખાય છે. ‘માનવતાનું મીઠું જગત' માં આબાલવૃદ્ધ અને ગોપાલથી ભૂપાલ સુધીના માનવીઓને માનવતાના મહાપથના પ્રવાસી બનાવી દે તેવા પાવર પૂર્યા છે. સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક ત્રિવેણીના સંગમ કરી આત્માને પરમાત્માના પ્રયાગરાજમાં નિમજ્જન કરાવી દે તેવાં પ્રવચન સપુટ છે તેમ કહી શકાય. આધ્યાત્મિક પ્રશ્ન ધાવલીમાં તે સાધનાના શિખર સર કરાવી પ્રેરણાની પર માંડી દીધી છે. સુરૂષ ક બહુના - સ્વ. પૂ. નાનચંદ્રજી મ. શ્રીની સંયમ, સેવા, સાધના અને સિદ્ધિનું વર્ણન હુ અલ્પમતિ શું વર્ણવી શકું? નયવાદના રહસ્યને પચાવનાર સંતપુરુષ - આચાર્યશ્રી વિજયધર્મસૂરિ મહારાજ જૈન–સંસ્કૃતિ, વૈશ્વિક-સંસ્કૃતિ અને ૌ-સસ્કૃતિ મુખ્યત્વે ત્રણ સંસ્કૃતિમાં ભારતીય-સંસ્કૃતિ અસંખ્ય વર્ષોથી વહેંચાયેલી અદ્યાધિ વિદ્યમાન છે. એક એક સંસ્કૃતિ પુનઃ અનેક વિભાગોમાં વહેંચાયેલી છે. મૌલિક તેમ જ પેટાવિભાગરૂપે વિદ્યમાન આ સર્વધર્મદર્શન કિવા સંસ્કૃતિના સિદ્ધાન્તોમાં અને તેનાં આચારામાં કાઈ ને કાઈ તફાવત અવશ્ય હોય છે. જૈન–સસ્કૃતિમાં પણ શ્વેતામ્બર, દિગમ્બર, શ્વેતામ્બર-દિગમ્બરમાં પણ મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપથી, વીસાપથી અને તેમાં પણ તપગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ, પાયદળચ્છ, છ કેટિ, આ કટિ વગેરે અનેકાનેક અવાંતર સંપ્રદાયા છે. અને જ્યાં સુધી જ્ઞાનની અપૂર્ણતા છે ત્યાં સુધી બુધ્ધિભેદના કારણે આવા આવા અવાંતર પેટા વિભાગે અવશ્ય રહેવાના છે. ગુરુપર’ધરા અથવા ગમે તે અન્ય કારણે ઉપર જણાવેલા વિવિધ સંપ્રદાયા પૈકી પોતે કોઈ પણ સપ્રદાય કિ વા ગચ્છપર પરાના અનુયાયી હોય એમ છતાં “મારા સંપ્રદાય અથવા મારી ગચ્છપરપરા એ જ સાચી અને બીજા સંપ્રદાયે તેમજ ગચ્છપર પરાએ એકાંતે ખાટી” એવી પોતાની કદાગ્રહભરી માન્યતા ન હેાય તો તે આત્માને પૂર્વાચાય ભગવતાએ સમ્યષ્ટિ તરીકે ગણેલ છે. અસના અનાગ્રહ એ સમ્યક્ત્વનું લક્ષણ છે. અસત્નો આગ્રહ એ મિથ્યાત્ત્વનું લક્ષણ છે. જૈન દર્શનના સિદ્ધાન્ત પ્રમાણે અન્યલિંગીને પણ મેક્ષ અને મોક્ષના ખીજરૂપ સમ્યગ્દર્શન હેાવાની સંભાવનાનું પ્રતિપાદન તે તે શાસ્ત્રગ્રન્થામાં જોવા મળે છે. સદ્ગત સંતમહાત્મા શ્રી નાનચંદ્રજી મહારાજ સંપ્રદાયે સ્થાનકવાસી સંપ્રદાયના શિણિ સાધુપુરુષ હતા. એ સંતપુરુષમાં સાંપ્રદાયિકભાવના જરા પણ આગ્રહ ન હતા. સર્વધર્મ સમન્વયની વાસ્તવિક તેમની યથા દ્રષ્ટિ ઘણી પ્રશંસનીય [૨૧] સ સ્મરણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy