________________
પૂજ્ય ગુરૂદેu ફાધવર્ય પ. નાનરન્દ્રજ, મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ રે
સત મહિમા
- સંત સહવાસથી હદય ઉજવલ બને, હદય ઉજવલ વિના જ્ઞાન નાવે; જેમ જન્માંધને રૂપનું ભાન ના, જ્ઞાન વિના નહિ મુકિત આવે.
- સંત ભવસાગરે દીપદાંડી સમા, જીવનનૌકાતણ ધ્રુવ તારા
સંત ચેતનભર્યા તીર્થક્ષેત્રો મહા, પૂલ તે પાર ઉતારનારા.
- સંત સહકાર નમ્ર નીચા વળી, મધુર અમૃતફળ આપનારા; સંત સાનંદ નિજ સ્વરૂપમાં ઊડતાં, દિવ્ય તિ તણા તે ગભારા.
- પંથ જુદા ભલે દયેય તે એક છે, કલેશમાંથી છૂટી શાંતિ વરવી; વિવિધ બહુ તીરથી નીર નદીનું મળે, તે પછી પેટી તકરાર કરવી.
- ધર્મ આધાર છે સર્વ પ્રાણીતળે, લટકતું વિશ્વ આ ધમ દરેક ધર્મ ત્યાં વિજય છે ત્યાં જ ધરણીધરે, પ્રેમ ને શ્રીયમાં ધર્મ દોરે.
- ધર્મ છે જીવને એક સાચો સખા, અંતમાં સંગ તે આવનારે; ધર્મ કલાંતિ હરે હૃદય શાંતિ ભરે, મોક્ષને પંથ તે લઈ જનારે.
– વસ્તુને સ્વરૂપમાં જે ધરી રાખતે, ધર્મ તેને કહે તત્ત્વદશી આત્મને ધર્મ તે પરમ આનંદ છે, જાણતા-માણતા તે મહર્ષિ.
- હૃદય સંતુષ્ટ ને નિત્ય આનંદ છે, તે જ આનંદ સર્વત્ર ભાળે; લોભ તૃષ્ણાભર્યા નાચતા ચિત્તને, કયાંય આનંદ નહિ કઈ કાળે.
- માત્ર સંતોષ સુખ શાંતિનું સદન છે, એથી સ્થિતિ ગતિ થાય ઊંચી;
ધર્મનિવાસ મંદિરનું દ્વાર તે, આત્મ ઉઘાડની એ જ ફેંચી.
- અન્ય વાજિંત્રના છિદ્ર નહિ ખોલવા, નિજ વાજિંત્રમાં મસ્ત રેવું, પ્રેમ મસ્તીભર્યા અલખ લલકારતાં, વિશ્વ ચેતન્યને વહેણ વહેવું.
- નોતરેલા અતિથિ સમા કર્મ છે, તે પછી કાં ન સત્કાર કરવો ? વિધિએ પાઠવ્યા કર્મ સઆદરી, ફલ વિષે નિત્ય સમભાવ ધરો.
- કર્મના દંડથી ભકિત ગંગાજળે, જીવન અંતરપટ સાફ કરવા; દેહથી વિહિત સત્કર્મ કરતા જવા, હૃદય પ્રેમે પ્રભુ નામ સ્મરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org