SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ("વ્ય ગુરુદેવ કવિવય"પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથો પૂજ્ય ગુરૂદેવ વિલય પંનાના પ્રાણીને લાકડી, ચાબુક, પત્થર વિ થી મારવા, તેમના ઉપર અનાવશ્યક આર્થિક બોજો નાખવે. કેઈની લાચારીને અનુચિત લાભ ઉઠાવે, અનૈતિક ઢંગથી શેષણ કરી તેને કસ કાઢવે તે વધ કહેવાય છે. જે કાર્યથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી ત્રસ પ્રાણીઓની હિંસા થાય છે, તે વધે છે. (૩) છવિચ્છેદ– કેઈપણ પ્રાણીના અંગે પાંગ છેઠવા-કાપવા. છવિચ્છેદની જેમ વૃત્તિ છે પણ અનુચિત છે. કેઈની પણ આજીવિકાને સંપૂર્ણ છેદ કરો, તેડી નાખવી, ઊંચિત પરિશ્રમિકથી ઓછું આપવું વગેરે પણ છવિદ સમાન દેષયુકત છે. (૪) અતિભાર– બળદ, ઊંટ, ઘોડા વગેરે પશુઓ ઉપર અથવા અનુચર તેમજ કાર્યકર્તાઓ ઉપર તેમની શકિતથી વધારે ભાર ભરે તે અતિભાર છે. કોઈની પાસેથી શકિત ઉપરાંત કાર્ય કરાવવું તે પણ અતિભાર જ છે. (૫) ભકતપાન વિચ્છેદ- સમયસર ભોજન-પાણી ન આપવા, નોકરને વખતસર પગાર ન આપો. આથી તેમને દુઃખ થાય છે. શ્રાવકોએ આ અતિચરેથી સદૈવ બચવું જોઈએ. (૨) બીજુ સ્થલ મૃષાવાદ વિરમણ વ્રત શ્રાવક શ્રમણની જેમ પૂર્ણરૂપથી સત્યવ્રતનું પાલન કરી શકતો નથી તેથી તે સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરે છે. આ ત્યાગ પણ બે કરણ અને ત્રણ વેગથી થાય છે. સ્થલ મૃષા-બેટ એ છે કે જેનાથી સમાજમાં અપ્રતિષ્ઠ: થાય, નેહી સાથીઓમાં પ્રામાણિકતાની છાપ ન પડે, લેકમાં અપ્રતીતિ થાય અને રાજદંડને ભેગ બનવું પડે. આ પ્રમાણે અસત્યથી માનવનું સર્વતોમુખી પતન થાય છે. અનેક કારણોથી માણસ રશૂલ જૂઠું બોલે છે, જેમકે પોતાના પુત્ર-પુત્રીઓના વિવાહને કારણે સામા પક્ષની આગળ મિથ્યા પ્રશંસા કરે છે અને કરાવે છે. પશુ પક્ષીઓના કય-વિજય માટે ખાટી વાત કરવી. ભૂમિ સંબંધી ખોટું બોલવું-બેલાવવું, નોકરી વગેરે અસત્યને પ્રયોગ કરવો. કેઈની થાપણુ મૂકેલી વસ્તુ માટે જૂઠું બોલવું. ખોટી સાક્ષી આપવી–અપાવવી. બટાને સાચું અને સાચાને ખોટું સિદ્ધ કરવાનો પ્રયાસ કરવો. શ્રાવક આ પ્રમાણે મૃષા-અસત્ય બોલવું-બોલાવવાદિનો ત્યાગ કરે છે. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે. (૧) સહસાભ્યાખ્યાન- વગર વિચાર્યું કોઈની ઉપર ખોટા આક્ષેપ નાખો. કેઈની પ્રત્યે ખેડટી ધારણા બાંધવી, સજજનને દુર્જન, ગુણીને અવગુણી, જ્ઞાનીને અજ્ઞાની, બ્રહ્મચારીને વ્યભિચારી કહેવા વગેરે. (૨) રહસ્યાભ્યાખ્યાન- કેઈની ગુપ્ત વાત કોઈની આગળ પ્રગટ કરી તેની સાથે વિશ્વાસઘાત કરે. (૩) સ્વદાર મંત્રભેદ- પતિ-પત્નીની એકબીજાની ગુપ્ત વાતે કઈ અન્યની સામે પ્રગટ કરવી તે સ્વદાર અથવા સ્વપતિ મંત્રભેદ છે. આનાથી કુટુંબમાં વેર-ઝેર પેદા થાય છે અને બહાર અપકીતિ ફેલાય છે. (૪) મિથ્યપદેશ- સાચું-ખોટું સમજાવી કોઈને કુમાર્ગે લઈ જવા તે મિશ્યા ઉપદેશ છે. (૫) લેખ ક્રિયા- મેહર છાપ, હસ્તાક્ષર વિગેરેથી ખોટું લખાણ કરવું અથવા પેટા સિકકા ચલાવવા. તત્ત્વાર્થસૂત્રમાં “સહસાભ્યાખ્યાન” ની જગ્યાએ “ન્યાસાપહાર આવેલ છે. તેનો અર્થ થાય છે-કેઈની થાપણ વસ્તુ રાખી હોય અને લેવા આવે ત્યારે ના પાડી દેવી. શ્રાવકે આ બધા અતિચારોથી બચીને સમ્યક પ્રકારે સત્યનું પાલન કરવું જોઈએ. (૩) ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત- શ્રવકનું ત્રીજું વ્રત સ્થૂલ અદત્તાદાન વિરમણ છે. શ્રમણ માટે તે વિના અનુમતિએ દાંત ખેતરવા માટે તૃણની સળી પણ લેવી વજર્ય માનેલ છે. શ્રાવક પૂલ અદત્તાદાનને ત્યાગ કરે છે. સ્થૂલ ચેરી જેમકે-કેઈના ઘરમાં ખાતર પાડવું, કેઈનું ખીસું હળવું કરવું-કાતરવું. કોઈના ઘરનું તાળું તોડવું અથવા પોતાની ચાવી લગાડી ખેલવું અને વસ્તુઓ તફડાવવી. પૂછ્યા વગર બીજાની ગાંસડી ખેલી વસ્તુઓ કાઢી લેવી. કેઈનું દાટેલું ધન ખોદી લઈ લેવું, ધાડ પાડવી, લૂંટવું, ઠગવું વગેરે. કઈ વસ્તુ મળી હોય તે તેના માલિકને ગેતી પાછી ન સોંપવી. ચૌર્યબુદ્ધિથી કઈ વસ્તુ ઉપાડી લેવી અને પોતાની પાસે રાખી લેવી. આ આગમસાર દેહન ૨૦૧ www.jallel b'ary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy