________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હોત તો આ વર્ણન કેમ થાત? આ સંબંધમાં વિસ્તારથી ચર્ચા મેં જૈન આગમ સાહિત્ય મનન અને મીમાંસા નામક ગ્રન્થમાં કરી છે. જિજ્ઞાસુ ત્યાંથી વિસ્તૃત જાણકારી મેળવી શકશે. વિષયવસ્તુ
સમવાયાંગ અને નન્દીસૂત્રમાં આચારાંગનું જે વિવરણ આપ્યું છે તે આ પ્રમાણે છે –
આચાર, ગોચર, વિનય, વૈયિક (વિનયનું ફળ) સ્થાન (ઉસ્થિતાસન, નિષણાસન, અને શયિતાસન) ગમન, ચંક્રમણ, ભેજન આદિની માત્રા, સ્વાધ્યાય વગેરેમાં વેગોને જોડવા, ભાષાસમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપધિ, ભકત-પાન, ઉદ્દગમ-ઉત્થાન, એષણા વગેરેની શુદ્ધિ, શુદ્ધાશુદ્ધ ગ્રહણને વિવેક, વ્રત, તપ, નિયમ, ઉપધાન વગેરે.
પ્રશરમતિ પ્રકરણમાં આચારાંગના પ્રત્યેક અધ્યયનને વિષય સંક્ષેપમાં આ પ્રમાણે આપે છે. (૧) જીવનિકાયની યતના.
(૧૪) વસ્ત્રની એષણ. (૨) લૌકિક સન્તાનને (સંસાર સંબંધી) ગૌરવ-ત્યાગ.
(૧૫) પાત્રની એષણ. (૩) શીત-ઉષ્ણ વગેરે પરીષહ ઉપર વિજય.
(૧૬) અવગ્રહશુદ્ધિ. (૪) અપ્રકમ્પનીય સમ્યકત્વ.
(૧૭) સ્થાનશુદ્ધિ. (૫) સંસારથી ઉદ્વેગ.
(૧૮) નિષદ્યાશુદ્ધિ (૬) કર્મોને ક્ષીણ કરવાનો ઉપાય.
(૧૯) વ્યુત્સર્ગશુદ્ધિ (૭) વૈયાવૃત્યનો પ્રયત્ન.
(૨૦) શબ્દાસકિત પરિત્યાગ (૮) તપની વિધિ
(૨૧) રૂપાસકિત પરિત્યાગ (૩) સ્ત્રી - સંગને ત્યાગ.
(૨૨) પર કિયાવર્જન (૧૦) વિધિપૂર્વક ભિક્ષા ગ્રહણ.
(૨૩) અન્ય ક્રિયાવર્જન (૧૧) સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત એવી શમ્યા.
(૨૪) મહાવ્રતની દઢતા (૧૨) ગતિશુદ્ધિ.
(૨૫) સર્વ સંગાથી વિમુકિત (૧૩) ભાષાશુદ્ધિ.
આચારાંગ નિર્યુકિતમાં આચારાંગના દસ પર્યાયવાચી નામ આપ્યા છે. (૧) આયર - આ સૂત્ર આચરણીય કૃત્યનું પ્રતિપાદન કરનાર હોવાથી આયાર- ‘આચાર' કહેવાય છે. (૨) આચાલ. - આ નિબંડ-ગાઢ બંધને આચાલિત કરે છે તેથી આચાલ” કહેવાય છે. (૩) આગાલ - ચેતનાને સમભાવ રૂપ ધરાતલ ઉપર અવસ્થિત કરે છે તેથી તે “આગાલ છે. (૪) આગર - આ આત્મિક - શદ્ધિના ૨ોને પેદા કરનાર હોવાથી “આગર છે. (૫) આસાસ – આ સંતપ્ત ચેતનાને આશ્વાસન આપવામાં સક્ષમ છે તેથી “આશ્વાસ” કહેવાય છે. (૬) આયરિસ – આમાં “સંપૂર્ણ કર્તવ્યતા” જોઈ શકાય છે તેથી તે આદર્શ - અરીસો છે. (૭) અંગ - આ અન્તસ્તલમાં રહેલા અહિંસા આદિ ભાવોને વ્યકત કરે છે તેથી તે “અંગ” કહેવાય છે. (૮) આઈણ - પ્રસ્તુત આગમમાં આચરવાયોગ્ય ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેથી આ “આશીર્ણ છે. (૯) આજાઈ - આનાથી જ્ઞાન આદિ આચારોની પ્રસૂતિ થાય છે તેથી તે “આજાતિ' કહેવાય છે. (૧૦) આમોકખ- બંધનમુકિતનું આ સાધન છે તેથી આ “આમેક્ષ' કહેવાય છે.
૧ સમવાયાંગ પ્રકીર્ણક સમવાય સૂત્ર ૮૯ ૨ નન્દીસૂત્ર ૮૦. ૩ પ્રશમરતિ પ્રકરણ ૧૧૪ - ૧૧૭ આચાર્ય ઉમાસ્વાતિ. ૪ આયારો ચાલ આગાલે આગરો ય આસાસ આયરિસે અંગતિ ય, આઇણાડજાઈ આકખા ||
-આચારાંગ નિર્યુકિત ગા. ૭
આગમસા૨ દાહન Jain Education International
For Private & Personal Use Only
૧૬૩. www.jainelibrary.org