SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પૂત્ર્ય ગુરૂદેવ વિલય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ હેય, બાહ્ય વેરાગ્યરંગથી રંગાયેલ હોય, ત્યાગી કે તપસ્વી હોય અને હૃદયરૂપી ભાજન પણ સરળ-નિર્દોષ હોય છતાં પણ એવા ધુરંધર સાધકના દિલમાં હજુ અંધારું ઘર હોય છે. તે હજુ વસ્તુને યથાર્થરૂપે જોઈ શકતા નથી હોતે, એટલે સંસારમાં રખડતે હોય છે. તેને પણ હજુ વિકાસની ખરી દિશાની સૂઝ નથી હોતી. સશાસ્ત્ર કેવું હોય એની તાવિક વિચારણા આપણે આગળ કરી ગયા છીએ એટલે અહીં તે માત્ર એટલું જ કહેવા જેવું છે કે, હવે આ સાધક, મહામાનવ બની શકે તેવી ભૂમિકા સુધી આવી ગયેલ છે. એટલે તેણે પહેલાં ત્રણ સાધને (તેલ-વાટ અને ભાજન) પરિપૂર્ણ કરવા તરફ પિતાનું લક્ષ્ય કેન્દ્રિત કરતા રહેવું જોઈએ. આવો સાચો પુરુષાર્થ જ એને સદગુરુની ભેટ કરાવે છે એ શંકા વગરની વાત છે. આમ આગળ વધતાં સાધકમાં, દષ્ટિને-સમજશક્તિ કે વિવેકશક્તિને વિકાસ થતાં એને સદ્દગુરુને ભેગ જરૂર થઈ જાય છે. એવા સાધકમાં ગષ્ટિનું વેગ પરિણમન થવાથી સ્થિર અને કાન્તાદષ્ટિના લક્ષણ દેખાઈ આવે છે. એની સમજશક્તિ નિર્દાન્ત હોય છે. એને નિર્ણય અવિચળ બની રહે છે. સંસારના બાહ્ય કે પાર્થિવ એ લેવાઈ જતો નથી. એની જીવનપદ્ધતિ અહિંસાપ્રધાન બની રહે છે એવો સાધક “સાક્ષરH સર્વ ભૂતેષુ એ સૂત્રને પચાવતું હોય છે. એવાને એમ જ લાગતું હોય છે જે “હું માં તે સહુમાં “સહુ નું હું વિષે પ્રતિ આત્માને એ દિવ્ય અભેદ જો; એ અનુભવમાં ઊંડું સુખ સમજાય છે. સહજ તે અંતરગ્રંથીને છેદ જોજે “હું. -સુશીલ આ રીતે જીવનના પ્રત્યક્ષ વ્યવહારમાં, અભેદભાવની સાધના કરે એ માનવ, પિતે એકાકી હોવા છતાં એનું જીવન સમષ્ટિગત ચેતનામાં વહેતું હોય છે. એના ત્રણે યુગો (મોગ, વચનગ અને કાયાને વેગ) જગતનું શ્રેય કે કલ્યાણ કરવા માટે જ ક્રિયાશીલ બનતા હોય છે. એને જ જગતના લોકો સંતપુરુષ કે મહાપુરુષ કહે છે. મહામાનવની આ જીવનપદધતિ ઉત્તરોત્તર ભવ્યતર અને ભવ્યતમ બની રહે છે. એટલે જ કહયું છેઃ मनसि वचसि काये पुण्यपीयूषपूर्णाः त्रिभुवनमुपकार श्रेणिभिः प्रीणयन्तः। परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यम् निज-हृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः॥ જેના મન- વચન અને કાયાના પેગે, પુયરૂપી અમૃતથી ભરેલા છે એટલે કે મન, વચન અને કાયાથી જેઓ જગતને અમૃતનું સિંચન કરતા હોય છે. એટલું જ નહિ પણ ત્રણે ભુવનને (ઊર્વિલક, અલેક અને તિલક) ઉપકારની પરંપરાથી જે તૃપ્ત કરતા હોય છે – ખુશ કરતા હોય છે. વળી બીજાના પરમાણુ જેવા નાના ગુણાને, પોતાની વ્યાપક દષ્ટિથી વિશદ અને મહાન કરીને પિતે અંતરમાં પ્રસન્ન રહેતા હોય છે, એવા મહામાનવો આ દુનિયામાં કેટલા હશે? આપણે એ વિષયની વિચારણા કરતા હતા કે, તથા પ્રકારના સંતે - સાધુપુરુષની પપાસના કરવાથી ક્રમે કમે હૃદયશુદ્ધિ થાય છે. પરિણામે, એવા શુધ્ધ હૃદયમાં, આત્માને જ્ઞાનગુણ પ્રગટે છે અને પરંપરાએ જીવ, મુકતદશાનેમોક્ષને પામે છે. સત્સંગને આજ મહાન લાભ છે. છેક ઉપરાંત આપણે જોઈ ગયા કે સદગુરુ જ ણે જોઈ ગયા કે સશુરુ જ મહત્ત્વનું અને અદ્વિતીય કારણ છે : એવા સદ્દગુરુને પામ્યા પછી જ માનવ આગળ વધીને મહામાનવ બની શકતો હોય છે. ગુરુ અને સદ્ગુરુમાં મોટા આંતરે હોય છે. કુળથી માનેલ ગુરુ, વેષધારી ગુરુ કે સંપ્રદાયના ગુરુ ઠેક ઠેકાણે હોઈ શકે છે. પણ સદ્ગુરુ તે વિરલ જ હોય છે. સદ્ગુરુનો અર્થ જ એ છે કે, જેને સત તત્ત્વને – આત્માનો અનુભવ થયે હોય અને જે આત્મનિષ્ઠાથી જીવન જીવતા હોય તે સદ્દગુરુ. એવા સદ્દગુરુ, સમ્યક્રદર્શનને જાજ્વલ્યમાન દીપક * જુઓ પાનું-૩૯, “તદાિં અંતે!” For Private & Personal Use Only તત્વદર્શન ainelibrary.org [48] International Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy