________________
મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર
લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ
વિક્રમની વીસમી શતાબ્દીમાં જૈન ધર્મે વિશાળ પાયા પર કાયાપલટ કરી; સુષુપ્તિ, શિથિલતાના અંધકારમાંથી જૈન સંઘ બહાર આવ્યો. એ સમયને “સંધિકાળ' કહી શકાય. જૈન સંઘના દરેક ગચ્છમાં આ સમયે સંવેગમાર્ગને પ્રબળ વેગ આપનાર મુનિવરો પાક્યા, જેમણે જુદા જુદા વિસ્તારોમાં નવજાગૃતિ ઊભી કરી. કચ્છ અને કાઠિયાવાડના પ્રદેશમાં આ જાગૃતિ લાવવાનું કાર્ય જાણે કે પૂજ્ય શ્રી કુશલચંદ્રજી મહારાજને સોંપાયું હતું. કચ્છમાં ધર્મવિષયક નવજાગરણનું શ્રેય આ મહાત્માને ફાળે જ જાય છે. શ્રી પાર્શ્વચંદ્રગચ્છના ઇતિહાસમાં તેઓશ્રીનું સ્થાન વિશિષ્ટ છે કારણ કે લુપ્ત થયેલી સુવિહિત મુનિપરંપરાને તેઓશ્રીએ સજીવન કરી. કચ્છ-કાઠિયાવાડ-હાલારના પ્રદેશોમાં ગચ્છના ભેદ વગર તેઓશ્રીની નિર્મળ સાધુતાનો એવો પ્રભાવ વિસ્તર્યો કે જુદા જુદા ગચ્છના યતિઓ પણ તેમનો આદર કરતા. તેઓશ્રી પદવીધારક ન હોવા છતાં પાર્જચંદ્રગચ્છ અને કચ્છની જૈન જનતાએ તેમને “મુનિમંડલાચાર્ય', “ગણિવર' જેવી માનવાચક પદવીથી નવાજ્યા.
જન્મભૂમિ : કોડાય (તા. માંડવી-કચ્છ). પિતા - શ્રી જેતશીભાઈ, માતા - શ્રી ભમઈબાઈ. જન્મ સં. ૧૮૮૩. સંસારી નામ : કોરશીભાઈ. કોડાયના જ તેમના એક સમવયસ્ક મિત્ર હેમરાજભાઈના સમાગમથી કોરશીંભાઈને વૈરાગ્યનો રંગ લાગ્યો. બીજા થોડાક મિત્રો પણ એમાં ભળ્યા. હેમરાજભાઈ સારા વિચારક અને અભ્યાસી હતા. શિથિલાચારના વિરોધી અને સત્યના શોધક એવા હેમરાજભાઈએ ધર્મક્ષેત્રે ક્રાંતિ આણવાનો સંકલ્પ કર્યો. સંવેગી દીક્ષા લઈ શુદ્ધ માર્ગને દૃઢ કરવાની તેમની વાતોને કોરશીભાઈ વગેરે અન્ય મિત્રોએ ઝીલી લીધી. હેમરાજભાઈએ એવું પણ નક્કી કરેલું કે પાંચમની સંવત્સરી કરતા હોય તથા સફેદ વસ્ત્ર ધારણ કરતા હોય એવા ગુરુ પાસે જ દીક્ષા લેવી. પાંચ મિત્રોની આ મંડળી ભાગીને પાલીતાણા પહોંચી. ત્યાં બિરાજમાન પાર્થચંદ્રગચ્છના શ્રીપૂજ્ય શ્રી હર્ષચંદ્રસૂરિજી પાસે તેઓને દીક્ષા લેવી હતી, પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે તેઓશ્રી વડીલોની રજા વિના દીક્ષા નહીં આપે.
શ્રી કલ્યાણવિમલ નામે મુનિરાજની સલાહ મુજબ અંતે સ્વયં સાધુવેશ ધારણ કરી તળેટીએ બેસી ગયા. A ૨૮ }
સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org