________________
વિદ્યાલયની વિકાસકથા વિદ્યાલયના પહેલા વર્ષના અહેવાલને અંતે વિદ્યાલયને મદદ કરવાની સમાજને વિનતિ કરતાં વિદ્યાલયના માનદ મંત્રી શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડિયાએ યોગ્ય જ કહ્યું હતું કે –
“જે આપને અનુભવથી જણાયું હોય કે આપણી વર્તમાન સ્થિતિ અસહ્ય છે અને તેમાંથી બહાર નીકળવા માટે કટિબદ્ધ પ્રયત્ન કરવાની જરૂર છે, તે આ ખાતાને, આવી સંસ્થાને પૈસાથી, સલાહથી, કાર્યથી, પ્રેરણાથી, સૂચનાથી બને તે પ્રકારે સહાય આપે. તનથી, મનથી, ધનથી આવી કેળવણીની સર્વગ્રાહી પ્રથમ સંસ્થાને મદદ કરે.”
અને, વિદ્યાલયને ઇતિહાસ કહે છે કે, સમાજે વિદ્યાલયને મમતાપૂર્વક અપનાવીને એની વિનતિને સવાઈ રીતે પૂરી કરી આપી હતી.
g 0 0 0 0 0 0 0 0 1 1 ] [ 0 ]
શિક્ષણના પ્રચારની ઝંખના અલ્પ ઉન્નતિથી મને સંતોષ નથી. હું તો માગું છું હજુ આ વિદ્યાલય મારફત જૈન સમાજ માટે શિક્ષણનાં અનેક કાર્યો થાય. સમજનાર માટે ઈશારે બસ છે. વિદ્યાલયને તમારી ઈચ્છા પ્રમાણે દાન આપી શિક્ષણનાં કાર્યોને વેગ આપો. જૈન શાસનને ઝંડે જગતમાં ફરકાવવો હોય તો તમારું ધન શિક્ષણપ્રચારના કાર્યમાં લગાડે. એ મારી ભાવના છે, મારા અંતરની ભાવના છે. હજુ તમે મારી એ ભાવના પારખી શક્યા નથી એનું મને દુઃખ છે.”
(મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં તા. ૯-૧૧-૧લ્પરના રોજ યોજાયેલ સંમેલનમાં પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજીના ઉભાર) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org