SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : સ્થાપના અને શરૂઆત ખ્રિસ્તી ધર્મની ધર્માંતરની પ્રવૃત્તિએ ઘણા મહત્ત્વના ભાગ ભજન્મ્યા છે, તેમ અ'ગ્રેજી ભાષાએ તથા અંગ્રેજી ઢબની શિક્ષણપદ્ધતિએ પણ એટલે જ અગત્યના હિસ્સા આપ્યા છે. અંગ્રેજ શાસકેાની એક ખૂબી એ હતી કે રાજ્યશાસનના પાયારૂપ કે ચાવીરૂપ સત્તાસ્થાના પેાતાને કબજે રાખીને બાકીનાં સ્થાનામાં હિંદુસ્તાનીએ દ્વારા કામ ચલાવવું. આ માટે પેાતાની શાસનપદ્ધતિમાં ઉપયોગી થઈ શકે એવા માણસા હજારોની સ`ખ્યામાં તૈયાર કરવાનું જરૂરી હતું. આ જરૂરિયાતને પૂરી કરવા માટે અ ંગ્રેજી શિક્ષણપદ્ધતિ અને અંગ્રેજી ભાષાનુ` શિક્ષણ દેશમાં શરૂ કરવાનુ... એમને અનિવાર્યું. લાગ્યુ. લોર્ડ મૅકલેએ આ વાતની પ્રમળ રીતે રજૂઆત કરતાં સને ૧૮૩૪માં કહ્યુ` હતું કે “ આપણે હિંદુસ્તાનમાં એક એવા વં પેદા કરવાના પ્રયત્ન કરવા જોઈ એ કે જેમના ઉપર આપણે રાજ્ય ચલાવીએ છીએ એવા અસંખ્ય હિંદી લેાકેા તથા આપણી વચ્ચે એ વર્ષાં સમજાવટનું કાર્યાં કરે, આ લેકા એવા હોવા જોઈ એ કે તે કેવળ લોહી અને રંગની દૃષ્ટિએ જ માત્ર હિંદી ઢાય, પરંતુ રુચિ, ભાષા, વિચારે અને ભાવનાની દૃષ્ટિએ તેા અંગ્રેજ ખની ગયા હોય.'’૧ લોડ મૅકોલેના આ સૂચનને અમલી બનાવવા માટે લાડ બેન્ટિકે એક જ વ પછી, સને ૧૮૩૫માં, હુકમ કર્યાં કે— જેટલી રકમ કેળવણી માટે મજૂર કરવામાં આવે તે બધી અંગ્રેજી કેળવણી ઉપર જ વપરાય, એ એને સારામાં સારા ઉપયાગ છે.”ર .. આ હુકમના અમલનું પરિણામ માત્ર પંદર-સત્તર વર્ષીમાં જ લોર્ડ મેકોલેની ધાર ણાને સાચી ઠરાવતુ કેવુ' આવ્યું તે પ્રેફેસર એમ. એચ. વિલ્સનના પાર્લામેન્ટની સિલેકટ કમીટી સમક્ષના નીચેના ઉદ્ગારા ઉપરથી ખરાબર જાણી શકાય છે. તેઓએ કહ્યું કે— ખરું જોતાં, આપણે અંગ્રેજી લખી-વાંચી જાણનારાએની એક જ્ઞાતિ બનાવી દીધી છે. આ વ એવા ઊભા થયા છે કે જેને પેાતાના દેશવાસીઓ પ્રત્યે બિલકુલ સહાનુભૂતિ નથી; અથવા છે તે બહુ જ ઓછી છે.’૩ આ રીતે ધીમે ધીમે ભારતની પાતાની શિક્ષણપદ્ધતિ અસ્ત થતી ગઈ; અને અગ્રેજી ભાષા અને અંગ્રેજી ઢમનુ' શિક્ષણ દેશમાં ફેલાતાં ગયાં. પરદેશી શાસન સામેના ૧૮૫૭ ના મળવાના ઐતિહાસિક વર્ષમાં જ અંગ્રેજોએ ભારતીય શિક્ષણપદ્ધતિ અને સંસ્કૃતિ ઉપર વધારે પ્રબળ આક્રમણ કરવાનું પગલું ભર્યું : એ જ વર્ષોંમાં કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં સરકારી યુનિવર્સિટી સ્થાપવાના કાયદો પસાર કરવામાં આવ્યા. ખરી રીતે તેા ઓગણીસમી સદીની પહેલી પચીશીમાં જ અંગ્રેજીના પ્રવેશના શ્રીગણેશ મ`ડાઈ ગયા હતાઃ સને ૧૮૧૪માં ખ્રિસ્તી પાદરીઓને મુંબઈમાં અંગ્રેજી શાળા ખાલવાની મજૂરી મળી ચૂકી હતી. રાજા રામમેાહનરાયના પ્રયાસથી કલકત્તામાં સને ૧૮૧૭માં અંગ્રેજી શાળા શરૂ થઈ હતી. ગુજરાતમાં સને ૧૮૨૦થી અંગ્રેજી શિક્ષણ શરૂ થયુ' હતું. સૂરતની અંગ્રેજી શાળા સને ૧૮૪૨ માં શરૂ થઈ હતી. વડાદરા, અમદાવાદ, ભાવનગર અને જૂનાગઢની કૉલેજો સને ૧૮૫૭ પછી સ્થપાઈ હતી. ૧. ભારતમાં અંગ્રેજી રાજ્ય, ભાગ ખીજો, પૃ॰ ૭૬. ૨. એન. ૩. એન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy