________________
૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રકૃષ્ટ ઊહ નામનું જ્ઞાન; અથવા યોગબિન્દુની ટીકા(શ્લોટ પર પૃ૦ ૧૧મ)માં કહ્યું છે તેમ સહજ પ્રતિભામાંથી જાગતું જ્ઞાન. આ પ્રતિભજ્ઞાન પણ શ્રુતજ્ઞાનનો જ પ્રકાર છે, પણ વિશિષ્ટ પ્રકારનું છે.
न चैतदेवं यत् तस्मात् प्रातिभज्ञानसंगतः।।
सामर्थ्ययोगोऽवाच्योऽस्ति सर्वज्ञत्वादिसाधनम् ॥ ८॥ આ ઉપરથી હરિભદ્રસૂરિનો મત સ્પષ્ટ દેખાય છે. શાસ્ત્રયોગ કરતાં સામર્થ્યયોગ જ ઉત્તમ છે. સર્વજ્ઞત્વ આદિ તત્વો એ સામર્થ્યયોગમાં જ સમજાય છે. પ્રાપ્ત થાય છે.
હરિભદ્રસૂરિના આંતરિક વિકાસનો ઉપર ઉલ્લેખ કર્યો. એમાં એક સ્થાન યુતિમ વન ચર્ચા તા ઃ પરિઝઃ—નું છે. યુક્તિ એટલે હેતુપૂર્વક વચન. આ હેતુવાદનું વ્યવહારમાં સ્થાન ખરું. પણ હરિભદ્રસૂરિ જે મધ્યસ્થતા–નિષ્પક્ષતા–પં. સુખલાલજીનાં શબ્દોમાં–‘સમદર્શન’ વ્યક્ત કરે છે તે તો મુખ્યત્વે અતીન્દ્રિય પદાર્થોના દ્રષ્ટાઓ પરત્વે જ સંભવે, અને અતીન્દ્રિય પદાર્થોમાં હેતુવાદ ચાલતો નથી; એમાં તો યોગાભ્યાસરસ અને યોગદષ્ટિને જ અવકાશ છે. અર્થાત હરિભદ્રસુરિને જે સમત્વ પ્રાપ્ત થયું તે તેમના યોગ પ્રાપ્ત દર્શનને લઈને હોય, અને એ એમના વિકાસનું બીજું સ્થાનક યોગદષ્ટ અધ્યાત્મ સ્થાનક ગણાય. હેતુબદ્ધ તર્ક, શીલ, વૈરાગ્ય, યોગદર્શનની પૂર્વઅવસ્થાઓ ખરી, પણ અધ્યાત્મજ્ઞાન તો યોગદષ્ટ જ છે; અને આવું જ્ઞાન જ હરિભદ્રસૂરિને સર્વજ્ઞાનીઓમાં સમત્વનું–એકત્વનું ભાન કરાવે છે. પોતે આ મુદ્દાનું પ્રતિપાદન સ્પષ્ટતાથી ભાર દઈને ફરીફરી યોગદષ્ટિસમુચ્ચયમાં કરે છે?
न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः। मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयणं ततः ।। १०२॥ सर्वज्ञो नाम यःकश्चित् पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ १०३ ॥ न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥१०७॥ संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् ।। तद्धेयकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ १२७ ।। सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथतेति च । રાત્રેતકુળડખ્યમેવૈમાલિમિઃ || ૧૨૮ ! '
ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः ।
પ્રેક્ષાવતાં ન તૌ વિવાઃ ૩૬૫તે || ૨૦ || સર્વજ્ઞો બહુ છે એથી તેઓ તત્વમાં ભિન્નમત છે એમ નથી. અધિમુક્તિ કહેતાં ભક્તોનો એ તો મોહ છે, તેથી સર્વજ્ઞોમાં ભેદ કરાય છે. સર્વજ્ઞ જે કોઈ હોય તે પારમાર્થિક જ છે. (કહેવાની ખાતર કહેલો નથી.) તે સર્વત્ર, વ્યકિતભેદ હોવા છતાં, એક જ છે (૧૦૨-૧૦૩)....સર્વજ્ઞ મહાત્માઓમાં નામ આદિથી ભેદ હોવા છતાં તત્ત્વથી ભેદ જ નથી. મહામતિઓએ આ સમઝવું જોઈએ (૧૦૭). સંસારથી અતીત
૭ યોગદષ્ટિ સમુચ્ચયમાં આવતો શકયુકમાં “ શકિત' શબ્દ અને આ પ્રતિભા' પ્રત્યભિજ્ઞા દર્શનની પરિભાષા છે. ૮ મુકિત પાઠ વિમુનો છે. પંડિત ડૉ. સુખલાલજી સૂચવે છે કે “ અધિમુક્તિ' (કે અધિમુક્ત) પાઠ હોય. એ
બૌદ્ધ પરિભાષાનો શબ્દ છે, એનો અર્થ શ્રદ્ધાળુ કે “ભક્ત” એવો થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org