________________
હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્વચિંતન : ૭ થાય એટલે અતીન્દ્રિય પદાર્થોને જાણે છે તેમ મહામતિએ કહ્યું છે. મહામતિ એટલે પતંજલિનો હવાલો આપી હરિભદ્રસૂરિ નીચેનો શ્લોક આપે છે, જે એમની જ્ઞાનમીમાંસાના નીચોડરૂપ છે; અને તેથી જ વારંવાર એમનાં અન્ય ગ્રંથોમાં આવે છે: :
____ आगमेनानुमानेन योगाभ्यासरसेन च ।
त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ १०१॥५ ટીકા પ્રમાણે આ ક્રમે–આગમ, અનુમાન, યોગાભ્યાસ-રસવડે પ્રજ્ઞાને જે કેળવે છે તે ઉત્તમ તત્વને પામે છે. આમાં યોગાભ્યાસ છેવટે આવે છે. આગમ અને અનુમાનથી અતીન્દ્રિય પદાર્થોની કલ્પના કરી હોય પણ તેના યથાર્થસ્વરૂપનું જ્ઞાન તો યોગમાં જ થાય. જિનોત્તમ વીર પણ યોગિગમ્ય છે એ એમના મંગલશ્લોકમાં જ હરિભદ્રસૂરિ જણાવે છે :
नत्वेच्छायोगतोऽयोग योगिगम्यं जिनोत्तमम् । वीरं वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः ॥१॥
આચાર્ય હરિભદ્રની યોજનામાં આગમ અથવા શાસ્ત્ર અને ખુદ યોગ વચ્ચેનું જે તારતમ્ય છે તે પણ નોંધવા જેવું છે. પોતે વિવિધ સંપ્રદાયોના સાંખ્યયોગ-શૈવ-પાશુપત–“વેદાનિક બૌદ્ધ-જૈનના
નભવ અને પદ્ધતિના ગ્રંથોનું ઊંડું અવગાહન કર્યું દેખાય છે. યોગમાર્ગના એમના પોતાના અનુભવે અને બીજાઓને દોરવાની દૃષ્ટિએ તેમણે સ્વતંત્ર મનન કરી પોતાની એક નવી શૈલી અને નવી પરિભાષા પણ રચી છે. યોગની આઠ દૃષ્ટિઓ એ એમની પોતાની સૂઝ છે એમ પંડિત ડૉ. સુખલાલજી કહે છે તે સાચું છે. એ જ પ્રમાણે તેમણે યોગદષ્ટિસમુચ્ચયના પ્રારંભમાં યોગના ત્રણ પ્રકારો પાડ્યા છે? ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ.
યોગ વિષે કાંઈ જાણ્યું હોય તે કરવાની ઈચ્છા થવી એવી ઇચ્છાવાળાનો–વિકલ અર્થાત અધૂરી ધર્મયોગ તે ઈછાયોગ. (લો. ૩). શાસ્ત્રમાંથી જે જાણ્યું હોય તેના તીવ્રબોધથી અપ્રમાદી શ્રદ્ધાળનો યથાશક્તિ ધર્મયોગ તે શાસ્ત્રયોગ. શાસ્ત્રમાં સામાન્ય રીતે ઉપાય કહ્યા હોય છે તે પ્રયોગમાં મૂકતા પોતાની શક્તિના ઉદ્રકથી–પ્રબળતાથી–શાસ્ત્રની ઉપર જઈ વિશેષતાથી જે ધર્મયોગ થાય તે સામર્થ્યયોગ. ત્રણમાં આ ઉત્તમ.
शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः।
शक्त्युद्रेका विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥५॥ આચાર્ય હરિભદ્ર કહે છે કે સિદ્ધિ પદની પ્રાપ્તિનાં કારણે તત્ત્વમાં શાસ્ત્રથી જણાતા નથી; યોગિઓથી જ સર્વ પ્રકારે જણાય છે.
सिद्धाख्यपदसंप्राप्तिहेतुभेदा न तत्त्वतः ।
शास्त्रादेवावगम्यन्ते सर्वथैवेह योगिभिः ॥६॥ આગળ જઈ કહે છે કે શાસ્ત્રથી સર્વ પ્રકારે સિદ્ધિ થતી હોત તો શ એ સાંભળતાં જ એવી સિદ્ધિ થઈ જાય. (૭). પણ શાસ્ત્ર ભણનારને એવી સિદ્ધિ થતી નથી તેથી પ્રાભિજ્ઞાનયુક્ત સામર્થ્યયોગ અવાચ્ય છે; અને સર્વજ્ઞત્વ આદિ તત્ત્વોની સિદ્ધિ એનાથી થાય છે. પ્રાતિભજ્ઞાન એટલે માગનુસારનું
૫ આગમે અનુમાને ને યોગાભ્યાસરસે વળી
સંસ્કારે જે વિધા પ્રજ્ઞા પામે તે તત્વ ઉત્તમ. ૬ ભરતના નાટયશાસ્ત્રમાં જે આઠ કે નવ રસદિઓ આવે છે—જેનો મૂર્તિઓ અને ચિત્રોમાં પણ વિનિયોગ થત
હતો તે ઉપરથી તેમની આઠ દઉટની પરિભાષા સૂઝી હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org