SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોણ? fo૩ ઉપરના શબ્દો બોલવા બધા તૈયાર છે, પરંતુ તેનો મર્મ વિચારવા કેઈપણ તૈયાર નથી. આ જગત કેવળ પિતાના આત્માને માટે જ આસ્તિક છે, પરંતુ સંસાર પારકા આત્માને માટે આસ્તિક નથી. જે સંસાર સઘળા જ આત્માને માટે આસ્તિક હોય તે પહેલાં તે એ જ વાત વિચારવાની છે કે આત્મા કયાં છે ? મુસલમાન -અને પ્રિન્ટનીએ આ સંસારમાં સર્વત્ર આત્મા માનતા નથી. તેઓ માત્ર માણસેમાં જ આત્મા છે એમ માને છે જ્યારે હિંદુઓ માણસ, કીડી, મંકોડા, પશુ, પક્ષી, ઈત્યાદિ સર્વમાં આત્મા રહેલો છે એમ માને છે. માત્ર જૈનશાસન એ એકલું જ એવું છે કે જે માણસ, રે, પક્ષી, કીડી, મંડી, વનસ્પતિ, પાણી, પવન અને પૃથ્વીમાં પણ આ મા છે એમ માને છે. જૈનત્વ ક્યાં છે એને વિચાર કરો ! જાનવર, કી, કેડી ઈત્યાદિમાં તે આત્માને માન જ રહ્યો. પરંતુ પૃથ્વી, અ, તેલ, વાઉ અને વનસ્પતિ એ પાંચે સ્થાવરમાં પણ આ માને એમાં જ જનત્વ રહેલું છે અને એ માન્યતામાં જ તત્વ બીજા સઘળાં સંપ્રદાથી ભિન્ન છે. જિનેશ્વરને દેવ માનવામાં અધિક્તા કઈ? - હવે કઈ એવી શંકા કરશે કે જનત્વની વ્યાખ્યા કરતાં આપણે એકવાર એવું સ્પષ્ટ કહી ગયા છીએ કે જે જિનેશ્વરને દેવતા માને છે તે જૈન છે. અહીં આપણે એમ કહીએ છીએ કે જે છએ કાયમાં આત્મા રહેલે માને છે તે જૈન છે. તે પછી શ્રી જિનેશ્વરદેવામાં અધિકતા શી રહેવા પામે છે? આપણે શ્રી જિનેશ્વરોને જ દેવ માનીએ છીએ ને બીજાને દેવ નથી માનતા તેનું કારણ શું? આંખ, કાન, નાક, હાથ ઈત્યાદિ બધાને છે. તે જ પ્રમાણે શ્રી જિનેશ્વરભગવાનને પણ હતું તે પછી શ્રીમાન જિનેશ્વરમાં અધિક્તા શી હતી કે જેથી આપણે તેમને દેવ માનીએ છીએ અને બીજાઓમાં એવી શી ન્યૂનતા હતી કે જેથી આપણે તેને દેવ માનતા નથી ? શરીરની અપેક્ષાએ જિનેશ્વરમાં કે બીજા દેવામાં કશી ન્યૂનતા કે શ્રેષ્ઠતા તે છે જ નહીં. બીજા દેવામાં અને જિનેશ્વરમાં જે
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy