________________
૩૬૮
આન દ પ્રવચન દર્શન નથી. તે જ પ્રમાણે તીર્થકર ભગવાન પણ ધર્મ દર્શાવે છે. તેઓ કાંઈ ધર્મરૂપી પઢાર્થોનું સર્જન કરી શકતા નથી. આંધળા દેખી શકો નથી અને આંખવાળે દેખી શકે છે. એ એના સ્વભાવને કઈ સર્જનારો હોઈ શકે જ નહિ. એ બંને વસ્તુ સ્વાભાવિકપણે જ છે. પ્રકાશ ધોળા રંગને લીલો અથવા લીલા રંગને ધોળે દેખાડી શકતા નથી, પરંતુ ધોળા રંગને ઘેળો અને લીલા રંગને લીલો દેખાડવામાં પ્રકાશ મદદરૂપ થાય છે. એ જ પ્રમાણે જે જે કારણેથી કર્મનિર્જરા થતી હતી, અથવા જે જે કારણે બંધન આપનારાં હતાં, તે તે કારણે જ તીર્થકરોએ બતાવ્યાં છે. એને અર્થ એ છે કે તીર્થકર ભગવાને ધર્મના દેશક છે, ધર્મના પ્રરૂપક છે, ધર્મને પ્રકાશિત કરનારા છે, પર તુ તેઓ ધર્મને સર્જનારા નથી. જ્યાં ધર્મની આવી સનાતન સ્થિતિને દર્શાવવાનું જ કાર્ય કરે છે, ત્યા ધર્મમાં પહેરા હોય એ શક્ય જ નથી. તેમાં છૂટછાટ હોય એ પણ સંભવતું જ નથી અને તેથી જ ધર્મમાં કાળની પરવૃતિએ પરાવર્તન હોય એ પણ અશકય જ છે. શ્રીમાન તીર્થકર ભગવાને એ કેવળજ્ઞાનથી કાલેક જાણીને પદાર્થ કહ્યા છે, એ કથનને પુસ્તકની કે બીજા કશાની જરૂર જ નથી. જે આત્મા વસ્તુને દેખે છે તેને પુસ્તક સાથે સંબંધ રાખવાની જરૂર જ રહેતી નથી. પુસ્તકની જરૂર એક માત્ર તેને જ છે કે જે પોતે પ્રત્યક્ષ જોઈ શકવાને માટે અસમર્થ છે. જે પોતે જ્ઞાનથી સમર્થ નથી. જે પોતે જ્ઞાનસ્વરૂપ નથી તેવાઓને જ્ઞાનીનાં વચનોની જરૂર પડે છે આંધળાને કઈ વાત બીજાને કહેવી હોય તો દેખનારે તે સંબંધમાં જેવું જોયું હોય અને જેવું કહ્યું હોય તેવું જ તે બીજાને કહી શકે. કારણ કે તે વસ્તુ જેવાને માટે અશકત છે. એ જ પ્રમાણે જેના ગમે જે લખાયાં છે તે ભગવાન કેવળ મહારાજાઓએ જેમ કહ્યું છે, તે જ પ્રમાણે લખાયાં છે ભગવાન કેવળીઓને કહ્યું છે. તે જ આગમકારોએ– આગમોએ લખ્યું છે. ભગવાન શ્રી કેવળી મહારાજાઓએ જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે ભગવાન શ્રી ગણધરદેવોએ ધાયું હતું. તે.