________________
મુનિ અહિંસક કે અકિંચન
૪૩૭
આહાર સંજ્ઞા તમામ જીવને છે. કારણ કે આહાર ન હોય તે શરીર પણ ન હોય, અને શરીર જે ન હોય તો ઈન્દ્રિયે પણ ન હોય.
માને કે આહાર સંજ્ઞા ન હોય, માત્ર એકલો આહાર હોય. પણ એ આહાર લીધે થાય છે કે, વગર લીધે થાય છે. વૈજ નામકર્મને લીધે તેજસૂ શરીર બંધાય, એ તૈજસ્ શરીરને લીધે સુધા ઉત્પન્ન થાય અને આહારની ઈચ્છા થાય, અને આહાર મળે એટલે પછી સંતોષ થાય અને તે ન મળે તે અસંતોષ થાય. જ્યારે ભૂખ લાગે ત્યારે બચ્ચાઓ રોવા માંડે છે. શાથી? કહેવું જ પડશે કે સુધાએ વેદના ઉત્પન્ન કરી, આહારની ઈચ્છા કરી, પણ તે ન મળે એટલે રેવા માંડયો. અને આહાર મળે એટલે તે રેતે બંધ થઈ જાય. આહાર મળ્યા પછી કંઈ વિચાર ન થાય એટલે તેવું બંધ થઈ જાય, એમ માને છે, તેથી કઈ બચ્ચાને રાવું શીખવવું પડતું નથી. બલવાનું ચાલવાનું શીખવવું પડે છે. રોવાનું આપોઆપ તે શીખી જાય છે. આ રીતે એ આહારની સંજ્ઞા દરેક જીવને છે.
- આહાર સંજ્ઞાથી છૂટવા તપસ્યા કરે. આ જીવ અનાદિ કાળથી આહારને અંગે પ્રયત્ન કરતે આવ્યો છે. એ ખાવાની સંજ્ઞામાં આપણે અનાદિથી રખડયા છીએ. ચાહે જે કે ઠાર જેમાં હજાર મણ સમાતું હોય તે ભરાઈ જાય છતાં પણ સવા શેરની આ કાણું કઠી કઈ દી' ભરતી નથી. આ જ હિસાબે શાસ્ત્રકારોએ કહ્યું છે કે જે પાણી પીધાં છે, અને અનાજ ખાધાં છે, તેના ઢગલા કરવામાં આવે છે તે જગતમાં ન માય. કેવળ માતાનું દૂધ જ જે ભવભવ પીધું છે તે બધું એકઠું કરીએ તે સ્વયંભૂ રમણ સમુદ્ર-છેલ્લે સમુદ્ર પણ માના દૂધ આગળ ખાબેચિયા જેટલો લાગે !
અનાદિ કાળની અપેક્ષાએ કેટલી માતાના દૂધ પીધાં છે ? એક એક માતાનું એક એક રૂપિયાભાર દૂધ લઈએ, તોપણ તે વધી જાય, કારણ કે સ્વયંભૂ રમણ સમુદ્રનું પાણી અનંત રૂપિયા ભાર નથી. તેમ છતાં સવા શેરની આ પેટની કાણી કેઠી ભરાય નહીં ? એ