SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪. શંકરજયન્તી g= હિમામે ” “પુત્ર પિતાના વસ્ત્રને છેડે ઝાલે તેમ હું તારે છેડે ઝાલું છું.”—“વિ પુત્રવિમve” “પિતા પુત્રને ખોળામાં તેમ તું મને લે છે.” એમ જીવાત્મા અને પરમાત્માના સંબન્ધ વિષેની ઉકિતઓ છે.” રાજામાં ફક્ત સામર્થ્ય અને ન્યાય છે; પિતામાં વિશેષમાં પ્રેમ છે. પણ પિતા આગળ પુત્ર પિતાના હૃદયની ઊંડી બાંધછોડ કરી શકતું નથી. તે માટે તે સખાભાવ જોઈએ એ ભાવવાચક વચને પણ દસંહિતામાં મળે છે. વસિઝ અને વરુણ વચ્ચે સખા-ભાવ છે. ઉપનિષમાં પણ “Rા સયુના રણીયા સમાનં શુ પરિષશ્વनाते तयोरन्यः पिप्पलं स्वावत्यननन्नन्योऽभिचाकशीति" =“એક વૃક્ષ ઉપર જીવાત્મા અને પરમાત્મા એવા બે જોડી –સખા– પક્ષીઓ બેઠેલાં છે. તેમાંનું એક વૃક્ષના ટેટા ખાય છે, અને બીજું અન્તયમી સાક્ષી રૂપે એ જોયા કરે છે.” એ સખાભાવને અનુભવ બરાબર તમારી કલ્પનામાં લાવ હોય તે ઈતિહાસ અને પુરાણ વગેઃ “તિहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत् । बिभेत्यल्पश्रुतावदो मामयं પ્રદરિષ્યતિ”=“ઈતિહાસ અને પુરાણુ વડે વેદનું ઉપબૃહણ કરવું; અલ્પશ્રુત માણસ-જેણે ઈતિહાસ અને પુરાણુની આખ્યાયિકાઓ સાંભળી નથી–તેનાથી વેદ વ્હીએ છે કે રખેને એ મારે ઘાત કરે.” માટે ઈતિહાસ અને પુરાણુથી તમારી પ્રતિભા જગાડશો તે જીવાત્મા અને પરમાત્માને સખાભાવ તમને નર અને નારાયણમાં, અર્જુન અને કૃષ્ણમાં, પ્રત્યક્ષ થશે. પણ સખાભાવના અધિકારી થવું સહેલું નથી. દામ્ય પછી સખાભાવ પ્રાપ્ત થાય છે—હનુમાન પછી અર્જુન આવે છે. હનુમાનની દામ્યભક્તિ વિચારે! એણે કેવા બળથી પરમાત્માની પ્રકૃતિને રાક્ષસના બંદીખાનામાંથી છોડવી ' દાસભાવ હસી કાઢવા જેવો નથી. “યાર.' માંથી જન્મ મરણના ફેરાને દા કાઢી નાંખે એટલે “ડ” થઈ જશે એ કહેવું ખરું છે–પણ સારા રમનારા તે દાથી જરા પણ ગભરાતા નથી–દામાં જ આનન્દ માને છે. દાસ્યમાં જે સમાન પ્રેમની ન્યૂનતા છે તે પતિ-પત્ની યાને “પ્રિય-પ્રિયાના સંબંધમાં પૂરાય છે. ભક્ત ઉપમન્યુ કહે છે “વિરોઘ વિમો શિયામ પિરામિ માર્ચ નાત” =“હે વિશે ! વિરહી જેમ આખું જગત પ્રિયામય જુવે છે તેમ હું આખું જગત તમારામય જેઉં છું,” ભગવદ્ગીતામાં અર્જુને કહેલું શિવઃ શિવાળાëરિ રે હુ.” એ વચન સુવિદિત છે. આ જગતના સર્વે સંબન્ધોમાં એકતાની બાબતમાં પતિપત્ની–પ્રિયપ્રિયાના
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy