________________
આપણે ધર્મ હેત. પણ તેમ ન થતાં દિવસે દિવસે જ્ઞાન વધે છે તેમ મનુષ્યની ધર્મવૃત્તિ • વધારે તીવ્ર, સતેજ, અને ગંભીર થતી આવે છે. મનુષ્ય, ક્ષણવાર પણ આત્મા
ઉપર તેમ જ જગત ઉપર દૃષ્ટિ નાંખે તે તેને એવા અનેક ગંભીર પ્રશ્નો તથા આકાંક્ષાઓ ઉપસ્થિત થશે કે જેનું સમાધાન તથા પરિપૂર્તિ માત્ર ધર્મથી જ થઈ શકે. એવું તે કઈક જ હશે કે જેને વિશ્વમાં, બાહ્ય તેમજ આંતર દૃષ્ટિ ફેરવતાં, કાંઈક ગંભીરતા, ગૂઢતા, મહત્તા નહિ પ્રતીત થતી હોય.
“ આ શી ઊડી રજની આજની ભણે ઊંડા ભણકાર ! ઘેરી ગુહા આકાશની રે માંહિ સૂતે ઊંડો અંધકાર,
આ શી ઊંડી રજની!” * એ ઉદ્દગાર માત્ર ભૌતિક અંધકાર પરત્વે જ સત્ય છે એમ નથી, પણ વિશ્વમાં છાઈ રહેલી અલૈકિક અગમ્યતાનું શાંતિપૂર-દૂરથી સંભળાતા સમુદ્રના ધ્વનિની માફક–વનિરૂપે અને સંભળાય છે. જે
“ ગૂઢ અસંખ્ય ભેદો કંઈ કરે ચોગમ ઘોર ઝંકાર રે,”
તેને ખુલાસો કરવાનો પ્રયત્ન ન કરતાં, મનુષ્ય માત્ર કર્ણ દઈને સાંભળવા [, ધારે તે પણ,
જ શાંત અભુત ઊંડા કંઈ
સુણે ઉચ્ચ ગાનના પુકાર રે.” * એ નિસંદેહ છે.
ત્યારે મનુષ્યના હદયમાં જીવ-જગત-અને ઈશ્વર સંબધી પૂર્વે કહ્યા પ્રમાણે જે જે ગંભીર પ્રશ્ન ઊઠે છે તથા આકાંક્ષાઓ ઉદ્ગાર પામે છે તે સર્વને ખુલાસો કરવા તથા પરિપૂર્તિ કરવી એ ધર્મમાત્રને સામાન્ય ઉદ્દેશ છે એમ સમજાય છે. અને તે સામાન્ય ઉદ્દેશ અમુક ધર્મ જેટલે અંશે પાર
• ઉંદયવીણા