SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણવ્યવસ્થા 'જન્મથી કે કર્મથી ? ૪૪૭ આ દેશને પેાતાની માતૃભૂમિ કહી શકનાર એક પરદેશી ખાઇમા છે, તેા એક હૃદયને નથી ? ,, એક ત્રીજી શંકા એવી છે કે “વર્ણવ્યવસ્થા તુટતાં હિન્દુપ્રજાના પ્રજાત્વના નાશ પામવા સંભવ છે કે નહિ ? ” હિન્દુપ્રજાનું પ્રજાત્ય જો વર્તમાન સમયની નિર્જીવ દશામાં આવી રહેતું હોય તા ખરેખર બહુ દુર્ભાગ્યની વાત છે. અને અમને તેા લાગે છે કે હિન્દુપ્રજા વખતસર સ્વક બ્ય સમજશે નહિ તેા એ સ્થિતિ બહુ દૂર પણ નથી. એના પ્રજાવની આશા ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી એના અદ્ભુત ભૂતકાલ માટે અને મમત્વ છે, જ્યાં સુધી સીતા, રામ, પાંડવ, દ્રૌપદી, કૃષ્ણ, અર્જુન આદિ નામ સાંભળી હિન્દુરુધિર હિન્દને એક છેડેથી ખીજે છેડે સુધી સરખી રીતે ઉછળે છે પરંતુ આ ભૂતકાલને વર્તમાન જોવા ખરેખરી તીવ્ર ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ જો નહિ થાય, ચાલતી વર્તુદશાથી સંતુષ્ટ રહેવામાં કતવ્યભંગનું જો એને ભાન નહિ થાય, તેા વિશ્વનિયમાનુસાર અસત્પ્રવૃત્તિનું જે પિરણામ થવું જોઈ એ તે થશે જ——કાંઈક થઈ પણ ચૂકયું છે, પણ હજી થતું અટકાવી શકાય એમ છે, અને એ આપણા હાથમાં છે. વળી, સામાન્ય રીતે પ્રાચીન મહર્ષિને ચાલતી દશા ઈષ્ટ હાય એમ માનવું એ તે એમની પવિત્ર કીર્તિને કલક આરેાપવા જેવું છે. તેમાંના સર્વનામ વિચારાની ‘ એકવાક્યતા' કરવાનું કામ તે। જેમને માથે લેવા ઇચ્છા હાય તેઓ ભલે લે, અમે તે માત્ર એમાંના એક મૂર્ધાભિષિક્ત વાક્યના જ અત્રે ઉપયેાગ કરીશું. મનુના શ્લેાક સુપ્રસિદ્ધ જ છે કે, (c यथा दारुमयो हस्ती यथा चर्ममयो मृगः । यश्च विप्रोऽनधीयानस्त्रयस्ते नाम बिभ्रति ॥ “ જેવા લાકડાના હાથી, " જેવા ચામડાના મૃગ, તેવા વિદ્યા વિનાના બ્રાહ્મણુ—” ' " • + રા. · જિજ્ઞાસુ ” ઇચ્છે છે. તેવી ‘ એકવાકયતા ? અમે ચાર શબ્દોમાં જ કરી દઇશું. સુભાગ્યે અસંખ્ય શ્લોકા ટાંકવાની જરૂર રહેતી નથી. મૂળમાં મનુને શ્લાય અમે મૂકેલા જ છે, અને એની સાથે “ થી જિ ૨ મનુવર્ત તદ્વેષનમ્ ” એ શ્રુતિ મૂકી લેશેા એટલે રા. * જિજ્ઞાસુ ' ની ઈચ્છાનુસાર અમારા સિદ્ધાન્તને અનુકૂલ “ એકવાક્યતા ” થઈ જશે—જો કે અમારે આ સ્થળે કહેવું જોઈએ કે · શાસ્ત્ર ' ના સંબન્ધમાં રા. જિજ્ઞાસુએ બતાવેલા વિચાર અમને સંમત નથી. : '
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy