SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ? - ભૂલમાં જોડાય છે. પરંતુ ખરી વાત એ છે કે— જો કે સાંખ્યભાષ્યકારે સૂત્રકારના આશય બતાવ્યેા છે તે કૃત્રિમ છે, તથાપિ એ ભાષ્યકારને સાંખ્યશાસ્ત્રના ઇતિહાસનું એક મ્હાનું સત્ય હાથ લાગ્યું છે; અને તે એ કે સાંખ્યદર્શન મૂળ નિરીશ્વરવાદી ન હતું. ઇતિહાસના જ્ઞાનના અભાવે વિજ્ઞાનભિક્ષુએ, સાંખ્યશાસ્ત્રના એ યુગ પાડવા જોઈ એ તેને બદલે, વ્યાવહારિક' અને પારમાર્થિક’~ અભ્યુપગમવાદ ’ અને ‘ પરમાર્થવાદ ’એવાં સાંખ્યશાસ્ત્રનાં એ સ્વરૂપ કપ્યાં. પણ એ કલ્પનાનાં મૂળમાં ઉપર કહ્યું તે ઐતિહાસિક સત્ય રહેલું છે. આ જ ઐતિહાસિક સત્યમાંથી, એ કપિલ થઈ ગયા ' "C * એક અગ્નિના અવતાર, અને ખીજે નારાયણના અવતાર. વેચનરામ શર્મા નામના કાશીના એક સમર્થ પંડિત સાંખ્યકારિકાના ટિપ્પણમાં કહે છેઃ— सुत्रध्यायी तु वैश्वानरावतार भगवत्कपिलप्रणीता; इयंतुद्वाविंशतिसूत्री तस्या अपि वीजभृता नारायणावतार महर्षिभगवत्कपिરુમળીતેત્તિ વૃદ્ધા:” “અર્થાત્ સાંખ્યસૂત્રને નામે એળખાતી ષડધ્યાયી તે અગ્નિના અવતાર કપિલે કરેલી; અને બાવીસસૂત્રને તત્ત્વસમાસ નામને ગ્રન્થ જે એ વાધ્યાયીના ખીજરૂપ છે એ નારાયણના અવતાર કપિલે કરેલા છે—એમ વૃદ્ધજને કહે છે. આમ બે કપિલની સાંપ્રદાયિક માન્યતામાં સાંખ્ય શાસ્ત્રનાં એ સ્વરૂપાનું સ્મરણ રહ્યું જણાય છે. બાકી તે શિવાય વસ્તુતઃ એ કપિલ—એક સેશ્વરવાદી અને એક નિરીશ્વરવાદી થયા હશે એમ માનવાને કાંઈ ખાસ પ્રમાણ મળતું નથી. અત્રે જે ‘તત્ત્વસમાસ' નામના ગ્રન્થ કહ્યો છે તે પણ જે કે પ્રસિદ્ધ સાંખ્યસૂત્ર'ના જેવા નિરીશ્વરવાદી નથી, તથાપિ એમાં ઈશ્વરના અસ્તિત્વનું પ્રતિપાદન પણ નથી. એટલે એ એ ગ્રન્થાને પશુ ઉપર કહેલાં સાંપ્થશાસ્ત્રનાં એ અતિહાસિક સ્વરૂપેાના પ્રતિપાદક તરીકે સેવાના નથી. ' " સાંખ્યતત્ત્વસમાસ ’ ને— સાંખ્યસૂત્ર' ની માકક જ મૂળ કપિલના સાંખ્યનું સ્વરૂપ નક્કી કરવામાં હું નિર્ણાયક ગ્રન્થ માનતા નથી. કારણ કે એ ગ્રન્થ પણ સ્પષ્ટ રીતે અર્વાચીન છેઃ મૂળ સાંખ્યાચાર્ય કપિલને રચે નથી. આની ખાતરી કરવા હું વાચકને માત્ર નીચેના ઊતારા ઉપર ષ્ટિફરવવા વિનંતિ કરું છું: 3. (२) " इह कश्चिद ब्राह्मण स्त्रिविधेन दुःखेनाभिभृतः सांङ्ख्याचार्यकपिल महर्षिशरणमुपागतः । स्वकुलनामगोत्रस्वाध्यायं निवे
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy