SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ પર્દર્શનની સંકલના કપિલની પણ પૂર્વે થઈ ગયા એમ વિજ્ઞાનભિક્ષુનું કહેવું ઠરે. કારણ કે વાધ્યાયી કપિલ ભગવાને ઉપદેશી ” છે. એમ વિજ્ઞાનભિક્ષુ આરંભમાં જ કહે છે. પણ એમ હોય તો તવસમાસન કર્તા કોણ ? એ પ્રશ્ન ઉઠે છે. કપિલ મુનિથી પણ પહેલાં સાંખ્યને કઈ પ્રવર્તક ( સાંખ્યતત્ત્વસમાસને કત) થઈ ગયે એવું વિજ્ઞાનભિક્ષનું માનવું હોય ખરું? સંપ્રદાય વિરુદ્ધની આવી માન્યતા વિજ્ઞાનભિક્ષુને આરોપતાં આંચકે આવે છે. તેમ તત્વસમાસમાં, કપિલ આસુરિ અને પંચશિખ એમ પરંપરાપ્રાપ્ત સાંખ્યશાસ્ત્ર પંચશિખ થકી પતંજલિને પ્રાપ્ત થયું એમ સ્પષ્ટ વચન છે એટલે તવે– સમાસ પતંજલિ પછીનું—અને વિશેષે, કપિલ પછીનું—એ ખુલ્લું છે. તત્ત્વસમાસના આ વાક્યનું વિસ્મરણું પણ વિજ્ઞાનભિક્ષમાં સંભવતું નથી. ઉભય ગ્રન્થના કર્તા એક જ કપિલમુનિ હતા એમ કદાચ વિજ્ઞાનભિક્ષુનું માનવું હોય–પરંતુ કઈ પણું સૂત્રકારે આમ બેવડાં સૂત્ર રચ્યાનું જાણ્યું છે? એકંદર વિચાર કરતાં મને તો એમ લાગે છે કે વિજ્ઞાનભિક્ષના “ના ” શબ્દનો અર્થ કરવામાં છે. મેક્સમૂલર જે કાલિકક્રમનું પરફત્ય સમજે છે એ ભૂલ છે. વિજ્ઞાનભિક્ષુને આ શબ્દથી, માત્ર નિષ્ણજનતા જ વિવિક્ષિત હોય એમ લાગે છે–જુઓ કે કમળપત્તવરશાત કહે છે. નિષેધેલા પૌનસફત્યમાં કાલિકક્રમનું તત્વ આવતું હોય તે સમયે બંનેનું–પરસ્પર––એમ કેમ કહી શકાય ?)--અર્થાત વ્યવહારૂ ઉપરની દષ્ટિએ, તત્ત્વસમાસ ઉપરાંત આ પડધ્યાયોનું શું પ્રયોજન છે એટલે જ એમના પૂર્વપક્ષને આશય છે. કાલિકક્રમને લઈ પુનરુકિત ઉપજે છે એમ પૂર્વપક્ષ કરવાનું એમનું તાત્પર્ય જણાતું નથી. પાધ્યાયી તત્ત્વસમાસની પછી થઈ એવું વિજ્ઞાનભિક્ષુનું માનવું હોય તે આ આચાર્ય અને પ્રકૃતસૂત્રકારને શેળભેળ કરીને, પડધ્યાયીને કપિલની કહેવામાં એમણે ચૂક કરી છે. અને તેથી છે. મેકસમૂલરનીઝ પૂર્વોક્ત દલીલ મને વાદમાં અનુકૂળ છે છતાં તે હું એની સંદિગ્ધતાના કારણથી––રવીકારતે નથી, અને તેથી વાપરતે નથી. સાંખ્યદર્શનની ઉત્પત્તિ વખતે અન્ય સં દર્શને હયાત હતાં એમ અનુમાન કરવું એ ઉપર બતાવ્યું તેમ સંપ્રદાય તથા ઐતિહાસિક પૂરાવાથી વિરુદ્ધ છે; એટલું જ નહિ, પણ આ સામાન્યતા મનુષ્યની સામાન્ય મંતિથી પણ વિપરીત છે. સવે દર્શને સાથે સાથે પ્રચલિત હોય, તેટલા ઉપરથી *. મૈકસમૂલર તરવણમાસ નામના એક સાંખ્ય ગ્રન્થને સાંખ્યનાં સુત્ર તરીકે ગણે છે. પણ મને એમનું અનુમાન શિથિલ લાગે છે,
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy