________________
ભાવોત્તમઃ”
૨૭
2 o 3 YELŮ en. 'Video meliora proboque, deteriora sequor', "=I see and approve of the better things, I follow the worse". "The spirit is willing, yet the flesh is weak". "The good that I would I do not : but the evil which I would not, that I do.” YAIC વચને પણ જ્ઞાન અને ક્રિયા વચ્ચે વારંવાર થતા વિરોધની જ સાક્ષી પૂરે છે. પરંતુ આ કની માફક જે વિદ્વાને જ્ઞાનમાં કર્તવ્યકરણની, “ભાગવત– આદિ ભાવનાઓની, પરિસમાપ્તિ કરે છે તેમનું તાત્પર્ય ક્રિયાવિરહિત જ્ઞાન-વિષયક હોય એમ લાગતું નથી. સેક્રેટિસે જ્ઞાન અને સદાચરણને એક માન્યાં હતાં એમ કહેવાય છે. પણ ખરું જોતાં એ પ્રતિપાદનની મતલબ એવી હશે કે કેમ એ શંકાસ્પદ છે. સ્પીઝા--જે સોક્રેટિસ પછી જ્ઞાન અને સદાચરણની એકતાહ પ્રતિપાદન કરનાર વિદ્વાનોમાં મુખ્ય છે–તેના ગ્રન્થ જોતાં તે આ વિષયમાં બિલકુલ સંદેહ રહેતો નથી. એ જ્ઞાનના
adequate” (પૂર્ણ) “inadequate” (અપૂર્ણ) એમ વિભાગ પાડે છે, અને માત્ર વિચારાત્મક જ્ઞાનને એ “અપૂર્ણ જ્ઞાન કહે છે. વેદાન્ત
- સદાચરણને જ્ઞાનરૂપે ઉપદેશવામાં સેક્રેટિસનું કદાચ એમ તાત્પર્ય હોય કે સદાચરણમાં ભ્રાન્તિ થવાનું મૂલ અજ્ઞાન છે અને તેથી જ્ઞાન સંપાદન થતાં, મનુષ્ય સ્વભાવની સ્વાભાવિક અદુષ્ટતાને લઈ, અથવા સદાચર ણમાં જ સુખ સમાયેલું છે અને સર્વ સુખાર્થે જ યત્ન કરે છે તેથી, જ્ઞાનમાંથી સદાચરણ ફલિત થવામાં વિલંબ થવાનો ભય નથી; અથવા તે એક બીજો ખુલાસો એમ થઈ શકે કે એના સમયમાં કેટલાક વિદ્વાન સદાચરણને અનિયત અને યાદચ્છિક માનતા હતા તેમ નહિ પણ સર્વ મનુષ્યો તે એકરૂપે ગ્રહણ કરી શકે એવું, અર્થાત જ્ઞાનવિષય, છે એમ દર્શાવવાને હેતુ હેય. આ સાથે એ પણ જવાનું છે કે સેક્રેટિસને ક્રિયારહિત જ્ઞાન ઉપદેશવાને આશય નહોત, પણ જ્ઞાનરહિત ક્રિયા અસાર છે એમ પ્રતિપાદન કરવાને મુખ્ય ઉદ્દેશ હતો. $ " The effort to understand is the first and sole basis of virtue."-Spinosa
"The knowledge which is divorced from will is not true knowledge, the will that is divorced from knowledge not really will" "Knowledge that is inert or inactive is not
૨૮