SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ નવાં દર્શન મનમાંથી દેશ અને કાલના જાના વિચારો કાઢી નાંખવા જોઈએ, જે આપણે આઈનસ્ટાઇનનું સૂક્ષ્મ વિશ્વ સમઝવા માગતા હોઈએ તે. જિજ્ઞાસુ–મેં આપને એક પ્રશ્ન પૂછે છે કે દેશ અને કાલ વચ્ચે સંબધ ? વિદ્વાન–તમારા પ્રશ્નનો મુદ્દો હું પૂરેપૂરો સમજે નથી. માનસદષ્ટિએ દેશ અને કાલ વચ્ચે ઘણે ભેદ છે. પણ ભૌતિક સાયન્સની દષ્ટિએ એ બે વચ્ચે તત્વતઃ કાંઈ ભેદ નથી, બેમાંથી એકેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એક જ નિપાધિક સ્વતન્ન સતનાં બે સ્વરૂપ (aspects) છે. એક સ્વતન્ન મૂલભૂત સત છે, જેને “SpaceTime” એટલે કે દેશ અને કાલનું અવિશ્લેષ્ય યુગલ (અથાત દૈતાદ્વૈત, દૈતમાં રહેલું અદ્વૈત) કહેવામાં આવે છે. એ ચતુર્માન (લીટી, ચોરસ અને ઘન એમ દેશનાં ત્રણ માન અને તે ઉપરાંત ચોથું કાલનું ભાન એમ ચાર ભાન વાળું–four-dimensional) -અખંડ સત્ તે હાલમાં જગજાહેર થએલા આઈન્સ્ટાઈનના ઉપાધિવાદ યાને સાપેક્ષતાવાદ ((Relativity theory) ની મૂલ શિલા છે. જિજ્ઞાસુ–કેટલાક વિદ્વાને કહે છે કે આપણે આત્મા (Mind) અને દેહ (Body) એ બે એક બીજાથી છૂટા અને સ્વતન્ન પદાર્થો નથી, પણ બંને એક જ મૂળ પદાર્થનાં બે રૂપ છે; એ મૂળ પદાર્થને તેઓ “Mind-Body” યાને “દેહ-આત્મા” કહે છે–૪ જેનું એક રૂ૫ આત્મા અને બીજું દેહ છે. દેશ-કાલ પણ અવિશ્લેષ્ય છે એમ જ્યારે વર્તમાન સાયન્સ કહે છે ત્યારે એને વિવક્ષિત અર્થ સમઝાવવા માટે આ ખોટું દૃષ્ટાન્ત છે? વિદ્વાન–ના; દષ્ટાન્ત ઠીક છે. આ સિદ્ધાન્તની વિગત સમઝવી કઠણ છે, “Relativity Theory” (સાપેક્ષતાવાદ) ની સ્થાપનાનાં પગલાં વિગતવાર સમઝવાં બહુ જ કઠણ છે. પણ આ વાત ખરી છે કે * મહોટા પાયા ઉપર, એટલે કે વિશ્વના વિસ્તારમાં, આવાજ પ્રકાત– પુરુષના યુગલને શાસ્ત્ર “અર્ધનારી–નટેશ્વર” કહે છે. * મીમાંસકોને એક વર્ગ આત્માને “” વા વાયા રૂપ માને છે. + ભૂતપૂર્વ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રના પ્રખ્યાત
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy