SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ષદર્શનમાં વેદાન્તનું સ્થાન ૧૫૧ લાગ્યા. આગળ જતાં જ્યારે બૌદ્ધ ધર્મ વેદ ઉપર પ્રહાર કરવા માંડ્યા ત્યારે એને વેદપ્રામાણ્ય સિદ્ધ કરવાની જરૂર પડી, વિના ઈશ્વરે એણે વેદનું પ્રામાણ્ય સ્થાપવાની હિંમત કરી, અને આ રીતે કેટલોક તત્ત્વજ્ઞાનને ઉમેરે થયો. પરંતુ પૂર્વમીમાંસાનું મુખ્ય સ્વરૂપ તત્ત્વજ્ઞાનનું નહિ કરવાનાં તે કર્મો, જ્ઞાન નહિ; અને તે વડે મેળવવાનું તે પણ કોઈ તત્ત્વ નહિ, પણ સ્વર્ગાદિક. આ સિદ્ધાન્તમાં ગર્ભિત રીતે કેટલુંક તત્ત્વજ્ઞાન રહ્યું છે, પણ પૂર્વમીમાંસાએ એને સ્કુટ ઉપજાવ્યું નથી, અને તેથી એને અત્રે (આ અવલોકનમાં) તત્વજ્ઞાનનું પદ આપવામાં આવ્યું નથી. આ દર્શનને આત્માના સ્વરૂપને કે ઈશ્વર વિષે વિચાર નહતો, અને તેથી એના પરમ પુરુષાઈને માર્ગ પણ જડ કમેનાં જંગલમાં જ પડેલે હતે. આ પ્રમાણે ટુંકામાં ઈશ્વરના અસ્તિત્વ તથા સ્વરૂપ સંબધી વિચારેની સાથે તે તે દર્શનને પરમ પુરુષાર્થને માર્ગ જોડાએલે છે. [વસન, માર્ગશીર્ષ સંવત ૧૯૬૧]
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy