SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ માયાવાદ ૧૧૪ ખીજી તરફ વેટ્ટાન્ત એ જ વાત અન્ય રીતે—વધારે સ્પષ્ટ તત્ત્વજ્ઞાનના શબ્દોમાં —પ્રતિપાદન કરે છે. હવે જો એટલું વિચારીશું કે જીવ-શિ વચ્ચે જે પિતાપુત્રભાવ અની શકે તે વિલક્ષણ પ્રકારના જ હેાવા જોઇએ, અને વળી અત્રે જે પ્રંશાંશિભાવ મનાય છે તે પણ જડ પદાર્થના અંશાશિભાવને બિલકુલ મળતા ન હેાઈ શકે, તે સ્પષ્ટ સમજાશે કે એ સર્વ સિદ્ધાન્તનું એક જ તાત્પર્ય છે અથવા હાવું જોઈ એ—તે એ કે જીવ ઈશ્વરથી અભિન્ન છે, અર્થાત જીવમાત્રની ઈશ્વરમાં એકતા છે. અને તેથી વેદાન્ત આ વસ્તુ નીચે પ્રમાણે મૂકે છે:—— यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति । तत एव च विस्तारं ब्रह्म संपद्यते तदा ॥ भ० गी० "" ( જ્યારે એ તે તે ભૂતના પૃથભાવને “ એકસ્થ ” વિક્ષેાકે છે, અર્થાત એક બ્રહ્મરૂપ તત્ત્વમાં એમની એકતા છે એમ સમજે છે, અને એ સર્વના વિસ્તાર પણ એ એક તત્ત્વભૂત બ્રહ્મમાંથી જ થાય છે એમ જાણે છે, ત્યારે એ બ્રહ્મવાદ પ્રાપ્ત કરે છે.) હજી આ વિષયમાં એક અવાન્તર શક સંભવે છે. કેટલાક દ્વૈતવાદીએ એમ બતાવે છે કે આપણામાં જે કર્તવ્યબુદ્ધિ રહેલી છે એમાં જ પેાતાના કરતાં અધિક અને ભિન્ન પરમ પુરુષના અસ્તિત્વના સ્વીકાર અન્તર્ગત છે. આ પરમ પુરુષ અધિક છે એ નિર્વિવાદ છે. એ માત્ર પુરુષતાહીન (કૈવલ સત.) તત્ત્વ નથી એ પણ આપણે સ્વીકારીશું, જો કે અત્રે, પુરુષતા તે મનુષ્યની પુરુષતા એમ સમજવાનું નથી. પ્રશ્ન એટલેા જ રહે છે કે એ પુરુષ આપણાથી, એટલે જીવાત્માથી, ભિન્ન છે કે કેમ ? જો ભિન્ન ન હાય તા કન્તવ્યમુદ્ધિમાં જે આજ્ઞાનું ભાન થાય છે તે ન થાય, કેમકે આજ્ઞામાં સ્વામિભત્યના-સેવ્યસેવકના—ભેદ રહેશે। જ છે; આમ સેશ્વરદ્વૈતવાદીઓનું કહેવું છે. આપણું ( અદ્વૈતબ્રહ્મવાદીઓનું ) એમ કહેવું છે કે પરમાત્મા અને જીવાત્માના સંબન્ધ સ્વામિનૃત્યન્યાયે હાય તેા કર્તવ્યસંબન્ધી આજ્ઞા આચરવામાં આનન્દ જ ન આવે. આનન્દ ન આવે એટલું જ નહિ પણ એવી કર્ત્તવ્યતા સિદ્ધ જ ન થાય; કારણ કે જ્યાં સુધી કત્તવ્યતા આત્માની અહારના "A further difficulty is raised by reflection upon the nature of the moral life itself. If, as appears according to the view we are considering, this consists, in obedience to a law which is surely "given," it does not require much insight to see that, however august the authority upon which it
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy