________________
s
૭૭૪,
પંચસંગ્રહ-પાંચમું હાર . જેમ મેહનીયની સર્વઘાતિ તેર પ્રકૃતિઓ, નામકર્મની તેર, થીણુદ્વિત્રિક, એમ ઓગણત્રીશ પ્રકતિઓના આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકે થાય છે, તેમ ક્ષીણમાહગુણસ્થાને જેઓને ક્ષય થાય છે, તે ઉદયવતી પ્રકૃતિઓના ક્ષીણ ગુણસ્થાનકને. જેટલે કાળ છે, તેના એક અધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ પદ્ધ થાય છે અને નિદ્રા અને પ્રચલાના એક ન્યૂન સ્પર્ધકે થાય છે. કારણ કે નિદ્રા અgયવતી પ્રકૃતિ છે. ઉદયવતી પ્રકતિઓની સ્વરૂપસત્તાએ જેટલી સ્થિતિ શેષ રહે, તેની અપેક્ષાએ અgયવતી પ્રકૃતિઓની સમય ન્યૂન સ્થિતિ શેષ રહે છે. તેથી જ ઉદયવતીની અપેક્ષાએ એક પદ્ધક ઓછું થાય છે.
- ક્ષીણકષાય ગુણસ્થાને જેઓની સત્તાને નાશ થાય છે, તેના તે ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના કાળ પ્રમાણુ સ્પીકો કેમ અને શી રીતે થાય છે તે કહે છે–
ક્ષીણકષાય ગુણસ્થાનકે વર્તમાન કેઈ ક્ષપિતકમશ આત્મા તે ગુણસ્થાનકને જેટલે કાળ છે, તેના સંખતા ભાગ જાય અને અંતમુહૂર્ત પ્રમાણ સંખ્યાતમાં એક ભાગ શેષ રહે ત્યારે જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર અને અંતરાય પાંચ એમ ચૌદ પ્રકૃતિઓની તે વખતે સત્તામાં જેટલી સ્થિતિ હોય તેને સર્વોપવતના વડે અપવર્તને-ઘટાડીને હવે ક્ષીણમોહ ગુણસ્થાનકનો એટલે કાળ શેષ છે તેટલી કરે છે અને નિદ્રા તથા પ્રચલાની એક સમયહીન કરે છે. કારણ કે તે બંને પ્રકૃતિએ અનુદયવતી હવાથી ચરમસમયે સ્વસ્વરૂપે તેનું દળ સત્તામાં હેતું નથી, પરંતુ પરરૂપે હોય. છે. માટે તે અનેની સ્થિતિસત્તા સ્વરૂપની અપેક્ષાએ એક સમય ન્યૂન કરે છે. * જ્યારે સર્વોપવ7ના વડે અપવત ક્ષીણુકષાય ગુણસ્થાનકની સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રાખે ત્યારપછી તે પ્રકૃતિમાં સ્થિતિઘાત રસઘાત અને ગુણ-ણિ પ્રવર્તતા નથી.
કોઈપણ પ્રકૃતિઓમાં જ્યાં સુધી સ્થિતિઘાત અને ગુણશ્રેણિ પ્રવરતા હોય છે ત્યાં સુધી તે પ્રકૃતિએની આખી સ્થિતિનું એક સ્પર્ધક થાય છે અને સ્થિતિઘાત. તથા ગુણશ્રેણિ બંધ થયા પછી જેટલી સ્થિતિ સત્તામાં શેષ રહે તે સઘળી સ્થિતિનું એક સ્પદ્ધક, એક સમય ઓછો થાય અને જેટલી સ્થિતિ રહે તેનું એક સ્પર્ધક. વળી એક સમય એ થાય અને જેટલી સ્થિતિ રહે તેનું એક સ્થદ્ધક, એ પ્રમાણે જેમા જેમ સમય એ છે થતું જાય તેમ તેમ જેટલી જેટલી સ્થિતિ શેષ રહે તેનું તેનું એક એક પદ્ધક થાય છે. યાવત્ ચરમસમય શેષ રહે ત્યારે તેનું એક પદ્ધક થાય છે. આ પ્રમાણે સ્પર્ધક ઉત્પન્ન થવાની વ્યવસ્થા છે.
૧ ક્ષીણુકષાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ છેષ રહે ત્યારે એવા વિશિષ્ટ પરિણામ થાય છે કે જે વડે એકદમ રિસ્થતિ ઘટાડી તે ગુણસ્થાનના જેટલા કાળ હોય તેટલા કાળમાં ભગવાય તેટલી સ્થિતિ શેષ રાખે છે. જે વિશિષ્ટ પરિણામ વડે એ ક્રિયા થાય છે તેનું નામ સવ્વપવન્દ્રના કહેવાય છે. સર્વોપવિત્તના થયા પછી સ્થિતિઘાત, રસાત કે ગુણશ્રેણિ થતા નથી.