SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરકશ્રીનું નિવેદન . ગિરિરાજના ઉન્નત શિખર ઉપર આરઢ થવા પાન ૫તિનું અવલંબન આવ શ્યક છે. ઇષ્ટ સ્થાનને શીધ્ર પ્રાપ્ત કરવા શીઘગામી વાહનેનું અવલબન અતિ આવશ્યક છે તેમ આ મેન્નતિના શિખરો સર કરવા અનુયાગરૂપ આલંબનની અતિ આવશ્યકતા છે. તે અનુયાગ ભિન્ન-ભિન્ન જીવની ભિન્ન-ભિન્ન પ્રકારની રુચિ જોઈ જ્ઞાની મહાત્મા એ ચાર વિભાગમાં ગોઠવી દીધો છે. ૧) ધર્મકથાનુગ–જેમાં આત્મોન્નતિ માટે પ્રબલ પુરુષાર્થ કરનાર મહાત્માઓનાં અષ્ટાન્તો આવે છે. (૨) ગણિતાનુગ–ચિત્તની વિકલતાને દૂર કરવામાં અતિ સહાયક પૃથ્વી અને ગગન આદિનું ગણિત જેમાં આવે છે. (૩) ચરણ-કરણનુયાગ–જેમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા કેવા કેવા પુરુપાર્થે આવશ્યક છે, તેનું વર્ણન આવે છે, (૪) દ્રવ્યાનુયોગ–જેમાં આત્મા આદિ નવતત્વ અને પદ્ધવ્યનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. આ દરેક અનુયાગ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં સદા સહાયક થાય છે, છતાં ય દ્વિવ્યાનુગ આત્મસ્વરૂપની વિશદ રીતે ઝાંખી કરાવતા હોઈ તેનું મહત્વ સર્વકાળે વિરોષ અંકાયેલું છે, એથી જ પૂ. ગુરુદેવની નિશ્રામાં નવતત્વ અને કર્મપ્રથાદિને એક્યાસ કરી સંક ૨૦૧૫ માં મહેસાણામાં શ્રી વિજયજી જૈન પાઠશાળામાં કર્મપ્રકૃતિ ગ્રંથનું અધ્યથન કર્યું. તેના અધ્યયનથી દ્રવ્યાનુયોગને લગતા અન્ય વિશિષ્ટ નું રુચિપૂર્વક ચિંતન-મનન કર્યું. સં. ૨૦૨૧ નું ચાતુર્માસ મુંબઈ-ગેહીજના ઉપાશ્રયે થયું. દ્રવ્યાનુયોગના વર્ણન પ્રસગે દ્રવ્યાનુયોગને કઈપણ અપ્રાપ્ય-દુપ્રાપ્ય ગ્રંથ પ્રગટ થાય એવી અંતરમાં ભાવના પ્રગટી, મુંબઈ ક્ષેત્રની ઉદારતાએ એ ભાવના સાકાર બની. તે વખતે ત્યાં શ્રી વિપીરસરીશ્વરજી પાઠશાળાના અધ્યાપક વસંતભાઈ આહિએ મને કહ્યું છે-અત્યારે પચસંગ્રહ થ દુપ્રાપ્ય છે, તે જે એ ગ્રંથ પ્રગટ થાય તો 'વ્યાનુયાગની ચિવાળા જીવોને એનું અધ્યયન બહુ સુગમ બની જાય. સુર સૂચન શક્ય હોય તે સર્વત્ર ગ્રાહ્ય બને છે. મને પણ એ સૂચન ગમ્યું અને તે માટે મહેસાણુ શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના પ્રાધ્યાપક ૫ શ્રી પુખરાજજીભાઈ કે જેમને આ વિષયનું અતિ સુંદર જ્ઞાન છે, તેમને આ કથનું સંપાદન કાર્ય કરી આપવા ભલામણ કરી, પ્રવ્યાનુયોગ પ્રત્યેની વિશિષ્ટ રુચિના કારણે તેમણે તે વાત સહર્ષ સ્વીકારી, જેના પરિણામે આ બથ પ્રકાશિત થઈ રહ્યો છે. દવ્યાનુગના અથી ભાગ્યશાળી આત્માઓ પ્રથનું સુકર અધ્યયન કરી આત્મજતિ પ્રાપ્ત કરે, એ જ મગળ કામના . ' – મુનિ ચિકવિજય .
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy