SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - faxi સમ્યગ્દર્શનનો પરમ મહિમા આ પ્રાભૂતશાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે આ સૂત્રપ્રાભૂતમાં ર૭ ગાથા છે. તેમા, જિનસૂત્રાનુસાર વર્તન જીવને હિતરૂ૫ છે અને જિનસૂત્રવિરુદ્ધ વર્તન અહિતરૂપ છે–એમ સંક્ષેપમાં વર્ણવ્યું છે, તથા જિનસૂત્રકથિત યુનિલિંગાદિ ત્રણ લિગોનું સંક્ષિપ્ત નિરૂપણ છે. નક ચારિત્રપ્રાભૃતમાં ૪૫ ગાથા છે તેમાં સમ્યક્ત્વચરણ-ચારિત્ર અને સયમચરણ-ચારિત્રરૂપે ચારિત્રનું વર્ણન છે, સંચમચરણને દેશસંચમચરણ અને પૂર્ણ ચમચરણ એવા બે ભેદરૂપે વર્ણવતાં, શ્રાવકના બાર વ્રત, મુનિને પંચે દ્રિયમંવર, મુનિનાં પાંચ મહાવ્રત, દરેક મહાવ્રતની પાંચ પાચ ભાવના, પાંચ સમિતિ ઈત્યાદિને નિર્દેશ કરવામાં આવ્યો છે. એક બેધપ્રાભૃતમાં દર ગાથા છે આયતન, ચૈત્યગૃહ, જિનપ્રતિમા, દર્શન, જિનબિંબ, જિનમુદ્રા, જ્ઞાન, દેવ, તીર્થ, અહંત અને પ્રવજ્યા–એ અગિયાર વિષયનું આ પ્રાકૃતમાં સ કિસ કથન છે “ભાવક્ષમણ તે આયતન છે, ભાવશ્રમણ તે ચૈત્યગૃહ છે, ભાવશ્રમણ તે જિનપ્રતિમા છે”—એવા વનવિશેષાત્મક ખાસ એક પ્રકારથી આયતનાદિ કેટલાક વિષેનુ આમા (જિનેત) વિશિષ્ટ નિરૂપણ છે જિનેપદિષ્ટ પ્રવજ્યાનું સમ્યફ વર્ણન ૧૭ ગાથાઓમાં સુંદર રીતે કરવામાં આવ્યુ છે * ભાવપ્રાભૃતમાં ૧૬૫ ગાથા છે અનાદિકાળથી ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં જીવ જે અનંત દુખે સહન કરી રહ્યો છે તેનું હૃદયસ્પર્શી વર્ણન આ પ્રાકૃતમાં કર્યું છે, અને તે દુખેથી છૂટવા માટે શુદ્ધ ભાવે પરિણમીને ભાવલિંગી-મુનિદશા પ્રગટ કર્યા સિવાય અન્ય કેઈ ઉપાય નથી એમ વિશપણે વર્ણવ્યું છે. તે માટે શુદ્ધભાવશૂન્ય દ્રવ્યમુનિલિંગ અકાર્યકારી
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy