SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] * જિનેન્દ્રશાસનનું સંક્ષેપથી પ્રતિપાદન કરનારા આ પવિત્ર શાસ્ત્રને અભ્યાસ કરી તેના આશયને જે જીવ બરાબર સમજે તો તે અવશ્ય ચાર ગતિના અનંત દુઃખેને નાશ કરી નિર્વાણને પામે. તેના આશય સમ્યક પ્રકારે સમજવા માટે નીચેની બાબત લક્ષમાં રાખવી ખાસ જરૂરની છે –આ શાસ્ત્રમાં કેટલાંક કથને સ્વાશ્રિત નિશ્ચયનયનાં છે (જેઓ સ્વનું પરથી પૃથપણે નિરૂપણ કરે છે, અને કેટલાંક કથને પરાશ્રિત વ્યવહારનયનાં છે (જેએ સ્વનું પર સાથે ભેળસેળપણે નિરૂપણ કરે છે); વળી કેટલાંક કથા અભિન્નસાધ્યસાધનભાવાશ્રિત નિશ્ચયનયનાં છે અને કેટલાંક ભિન્નસાધ્યસાધનભાવાશ્રિત વ્યવહારનયનાં છે ત્યા નિશ્ચયકથનને તો સીધો જ અર્થ કરવો જોઈએ અને વ્યવહારકથાને અભૂતાર્થ સમજી તેમને સાચો આશય શું છે તે તારવવું જોઈએ જે આમ કરવામાં ન આવે તે વિપરીત સમજણ થવાથી મહા અનર્થ થાય “પ્રત્યેક દ્રવ્ય સ્વત ત્ર છે તે પિતાના જ ગુણપર્યાયને અને ઉત્પાદવ્યયવ્યને કરે છે. પરદ્રવ્યને તે ગ્રહી-છેડી શકતું નથી તેમ જ પૂરદ્રવ્ય તેને ખરેખર કાંઈ લાભનુકસાન કે સહાય કરી શકતું નથી . જીવન શુદ્ધ પર્યાય સ વર-નિર્જરા-મેક્ષના કારણભૂત છે અને અશુદ્ધ પર્યાય આસવ-બંધના કારણભૂત છે.”—આવા મૂળભૂત સિદ્ધાંતને ક્યાંય બાધ ન આવે એવી રીતે હંમેશાં શાસનાં કથનેને અર્થે કર જોઈએ. વળી આ શાસ્ત્રને વિષે કેટલાક પરમપ્રજનભૂત ભાનુ નિરૂપણ અતિ સંક્ષેપમાં જ કરાયેલુ હોવાથી, જે આ શાસ્ત્રના અભ્યાસની પૂર્તિ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર વગેરે અન્ય શાના અભ્યાસ વડે કરવામાં આવે તે મુમુક્ષુઓને આ શાસ્ત્રના આશય સમજવામાં વિશેષ સુગમતા થશે આચાર્ય ભગવાને સમ્યજ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે અને માર્ગની પ્રભાવિના અથે આ પંચાસ્તિકાયસ ગ્રહ શાસ્ત્ર કહ્યું છે. આપણે તેને અભ્યાસ કરી, સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા સમજી, નવ
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy