SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શાસ્ત્રમાં પરમ કરૂણાબુદ્ધિથી પ્રસિદ્ધ કરેલા વસ્તુતત્વને સંક્ષિપ્ત સાર છે તેમાં જે રીતે વર્ણવી તે સિવાય બીજી કઈ રીતે જીવ અનાદિ કાળના ભયકર દુ ખથી છૂટી શકતું નથી. જ્યાં સુધી વસ્તુસ્વરૂપ જીવના ખ્યાલમાં આવતું નથી ત્યા સુધી બીજા લાખ પ્રયત્ન પણ તેને મોક્ષનો ઉપાય હાથ લાગતું નથી. તેથી જ આ શાસ્ત્રને વિષે પ્રથમ પંચાસ્તિકાય અને નવ પદાર્થનું સ્વરૂપ સમજાવવામાં આવ્યુ છે કે જેથી જીવ વસ્તસ્વરૂપને સમજી મોક્ષમાર્ગના મૂળભૂત સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય અસ્તિકા અને પદાર્થોના નિરૂપણ પછી આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગ સૂચક ચૂલિકા છે. આ અંતિમ અધિકાર, શાસ્ત્રરૂપી મદિર ઉપર રત્નકળશ સમાન શોભે છે. અધ્યાત્મરસિક આત્માથી જીવોને, આ અતિ પ્રિય અધિકાર છે તેમને આ અધિકારને રસાસ્વાદ લેતા જાણે કે તૃમિ જ થતી નથી. તેમાં મુખ્યત્વે વીતરાગ ચારિત્ર –સ્વસમયનું-શુદ્ધ મુનિશાનુ –પારમાર્થિક ક્ષમાર્ગ તુ ભાવવાહી મધુર પ્રતિપ્રાદન છે. તેમ જ સુનિને સરાગ ચારિત્રની દશામાં આશિક શુદ્ધિની સાથે સાથે કેવા શુભ ભાવેને સુમેળ અવશ્ય હોય જ છે તેને પણ સ્પષ્ટ નિર્દેશ છે. જેમના હૃદયમાં વીતરાગતાની ભાવના ઘેળાયા કરે છે એવા શાસ્ત્રકાર મુનીન્દ્ર (તેમ જ “ટીકાકાર મુનીન્દ્ર) આ અધિકારમાં જાણે કે શાંત વીતરાગુ રસની સરિતા વહાવી છે ધીરગંભીર ગતિએ વહેતી આ શાંત રસની અધ્યાત્મગંગામાં નહાતા તત્વજિજ્ઞાસુ ભાવુક જીવે શીતળીભૂત થાય છે. અને તેમનું હૃદય શાંત-શાંત થઈ મુનિઓની આત્માનુરાવમૂલક સહજશુદ્ધ ઉદાસીન દશા પ્રત્યે બહુમાનપૂર્વક નમી પડે છે. આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવને સમજાય છે કે “શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે સહજ દશાને અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના ઉપાયો અંશ પણ પ્રાપ્ત થતું નથી.” * ૧૪ મા પાનાની કૂટનેટ જુઓ, - - -
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy