________________
સમયસાર–મક્ષ અધિકાર છૂટવારૂપ મેક્ષને પામતો નથી; તેવી રીતે જીવ કમબંધનેનાં પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને જાણતાં છતાં પણ (કર્મબંધથી) છૂટતો નથી, પરંતુ જો પોતે (રાગાદિને દૂર કરી) શુદ્ધ થાય તો જ છૂટે છે.
जह बंधे चिंतंतो वंधणवद्धो ण पावदि विमोक्खं । तह वंधे चिंतंतो जीवो वि ण पावदि विमोक्खं ॥ २९१ ॥ બંધન મહીં જે બદ્ધ તે નહિ બંધચિતાથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણી ચિતા કર્યાથી નવ છૂટે. ર૯૧.
અથ:–જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધના વિચાર કરવાથી મોક્ષ પામતે નથી (અર્થાત બંધથી છૂટતો નથી), તેમ જીવ પણ બધાના વિચાર કરવાથી મોક્ષ પામતો નથી.
जह बंधे छेत्तूण य वंधणवद्धोदु पावदि विमोक्खं । तह बंधे छेत्तूण य जीवो संपावदि विमोक्खं ॥ २९२ ।। બંધન મહી જે બદ્ધ તે નર બંધ છેદનથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ર૯૨.
અર્થ:–જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોને છેદીને મોક્ષ પામે છે, તેમ જીવ બધોને છેદીને મેક્ષ પામે છે.
बंधाणं च सहावं वियाणि, अप्पणो सहावं च । बंधेसु जो विरजदि सो कम्मविमोक्खणं कुणदि ॥२९३ ॥ બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મને, જે બંધ માંહી વિરક્ત થાય, કમક્ષ કરે અહો! ર૩.